ટોપ ન્યૂઝનેશનલ

જમ્મુના નાગરોટા આર્મી સ્ટેશન પર ગોળીબાર; એક જવાન ઘાયલ, ઘુસણખોરની શોધખોળ ચાલુ…

નવી દિલ્હી: શનિવારે રાત્રે પાકિસ્તાને યુદ્ધ વિરામનો ઉલંઘન કર્યું હતું. પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરથી માંડીને ગુજરાતના સરહદી વિસ્તારમાં ડ્રોન છોડ્યા હતાં. એવામાં જમ્મુના નાગરોટા આર્મી સ્ટેશન પાસે શંકાસ્પદ શખ્સોએ ગોળીબાર કર્યો હતો. જેમાં ભારતીય સેનાનો એક સૈનિક ઘાયલ થયો હોવાનું વ્હાઇટ નાઈટ કોર્પ્સે શનિવારે જણાવ્યું હતું. શંકાસ્પદોની શોધ માટે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

વ્હાઇટ નાઈટ કોર્પ્સે X પર પોસ્ટ કરી જણાવ્યું, “કેમ્પ નજીક શંકાસ્પદ હિલચાલ જોતાં, નાગરોટા મિલિટરી સ્ટેશનના સતર્ક સંત્રીએ એક ચેતવણી આપી હતી, જેના કારણે શંકાસ્પદ શખ્સ સાથે ગોળીબાર થયો. સંત્રીને સામાન્ય ઈજા થઈ. ઘુસણખોર(ઓ)ને શોધવા માટે શોધ કામગીરી ચાલી રહી છે.”

સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રારંભિક ગોળીબાર પછી કોઈ વધુ અથડામણ થઇ નથી. યુદ્ધ વિરામ માટે બંને દેશ સહમત થયા બાદ શનિવારે રાત્રે પાકિસ્તાને ડ્રોન હુમલાઓ અને LoC અને આંતરરાષ્ટ્રીય સરહદ પરના અનેક વિસ્તારોમાં ગોળીબાર કર્યો હતો.

એક ખાસ બ્રીફિંગમાં, વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કહ્યું કે ભારત આ ઉલ્લંઘનોની ખૂબ જ ગંભીર નોંધ લે છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button