Pakistan પર ભડક્યા ફારૂક અબ્દુલ્લા, કહી આ મોટી વાત | મુંબઈ સમાચાર

Pakistan પર ભડક્યા ફારૂક અબ્દુલ્લા, કહી આ મોટી વાત

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં આતંકવાદીઓની કાયરતા પૂર્ણ હુમલાને મુદ્દે નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાએ પાકિસ્તાન પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે અમે પાકિસ્તાનના(Pakistan)શાસકોને કહેવા માંગીએ છીએ કે કાશ્મીર પાકિસ્તાન નહીં બને. ફારુકે  અબ્દુલ્લાએ કહ્યું કે, આ ખૂબ જ દર્દનાક ઘટના છે. ગરીબ મજૂરો આતંકી દ્વારા શહીદ થયા. એક તબીબે પણ જીવ ગુમાવ્યો. હવે કહો, આ ગરીબોને શું મળશે? શું તેમને લાગે છે કે પાકિસ્તાન બનશે?

ફારુક અબ્દુલ્લાએ ભારત-પાકિસ્તાન મિત્રતા પર શું કહ્યું?

તેમણે કહ્યું,  આતંકવાદી પાકિસ્તાનથી આવી રહ્યા છે. અમે ઈચ્છીએ છીએ કે આ મામલો સમાપ્ત થઈ જાય. ચાલો આગળ વધીએ અને મુશ્કેલીઓ દૂર કરીએ. હું પાકિસ્તાનના શાસકોને કહેવા માંગુ છું કે જો તેઓ ભારત સાથે મિત્રતા કરવા માંગતા હોય તો આ બધું બંધ કરવું પડશે. કાશ્મીર પાકિસ્તાન નહીં બને, નહીં બને.

ફારુક અબ્દુલ્લાએ કહ્યું, કૃપા કરીને અમને સન્માન સાથે જીવવા દો, અમને પ્રગતિ કરવા દો. ક્યાં સુધી તમે અમને મુશ્કેલીમાં મુકતા રહેશો? તમે 47 થી શરૂઆત કરી, નિર્દોષોને માર્યા. 75 વર્ષમાં પાકિસ્તાન બન્યું નથી ત્યારે હવે બનશે?

Also Read – કાશ્મીરના ગાંદરબલમાં થયેલા આતંકવાદી હુમલામાં સાતના મોત, આ રીતે કર્યો હુમલો

જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લાએ વધુમાં કહ્યું કે અલ્લાહ માટે, તમારા દેશ અને પ્રગતિને જુઓ. અમને ભગવાન પર છોડી દો, અમે મુશ્કેલીઓમાંથી બહાર આવવા માંગીએ છીએ, અમે ગરીબી અને બેરોજગારીમાંથી બહાર આવવા માંગીએ છીએ. પાકિસ્તાન માટે આ બધું બંધ કરવાનો સમય આવી ગયો છે.

આતંકવાદી હુમલો ક્યારે થયો?

ઉલ્લેખનીય છે કે, રવિવારે શ્રીનગર-લેહ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સુરંગ નિર્માણ સ્થળ પર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં એક ડૉક્ટર અને છ મજૂરો માર્યા ગયા હતા. અધિકારીએ જણાવ્યું કે  આતંકવાદીઓએ આ હુમલો ત્યારે કર્યો જ્યારે ગુંડ, ગાંદરબલમાં ટનલ પ્રોજેક્ટ પર કામ કરી રહેલા કામદારો અને અન્ય કર્મચારીઓ મોડી સાંજે તેમના કેમ્પમાં પરત ફરી રહ્યા હતા.

સંબંધિત લેખો

Back to top button