યુએનમાં વિદેશ મંત્રી એસ જયશંકરે આતંકવાદ મુદ્દે પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો,કહ્યું આતંકવાદીઓને કોઇ છૂટ નહિ

ન્યુયોર્ક : ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે આતંકવાદ મુદ્દે યુએનમાં ભારતનું વલણ સ્પષ્ટ કર્યું છે. તેમણે કવાડ બેઠક પૂર્વે સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં આતંકવાદના મામલે પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો છે. વિદેશ મંત્રી એસ જયશંકર યુએન મુખ્યાલયમાં ધ હ્યુમન કોસ્ટ ઓફ ટેરરિઝમ પ્રદર્શનના ઉદ્ઘાટન દરમિયાન આતંકવાદના મુદ્દા પર એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું, આતંકવાદ માનવતા માટે સૌથી ગંભીર ખતરાઓમાંનો એક છે. જ્યારે કોઈ દેશ પોતાના પાડોશી વિરુદ્ધ આતંકવાદને સમર્થન આપે છે. ત્યારે તેની સામે જાહેરમાં અવાજ ઉઠાવવો જરૂરી બની જાય છે.
વિદેશ મંત્રી એસ. જયશંકરે પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો
વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું, ‘આતંકવાદ માનવતા માટે સૌથી મોટો ખતરો છે. આ સંયુક્ત રાષ્ટ્ર જે કંઈ કહે છે, માનવ અધિકારો, નિયમો અને ધોરણો અને રાષ્ટ્રોએ એકબીજા સાથે કેવી રીતે વર્તવું જોઈએ તેની વિરુદ્ધ છે. જ્યારે પાડોશી દેશ વિરુદ્ધ આતંકવાદને સમર્થન આપવામાં આવે છે. ત્યારે તે ગેરકાયદે પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે.
આતંકવાદીઓને છૂટ આપવામાં નહીં આવે
જ્યારે એસ. જયશંકરે આતંકવાદના મુદ્દા પર યુએનએસસીને કહ્યું કે જે લોકો આતંકવાદને સમર્થન આપે છે તેમને કોઈ છૂટ આપવી જોઈએ નહીં. જયશંકરે કહ્યું, કોઈપણ પરમાણુ બ્લેકમેલ કામ કરશે નહીં. આ ડોનાલ્ડ ટ્રમ્પ માટે સ્પષ્ટ સંકેત હતો. જે વારંવાર કહી રહ્યા હતા કે પરમાણુ યુદ્ધના ભયને કારણે યુદ્ધવિરામ થયો હતો.
વિશ્વએ કેટલાક મૂળભૂત ખ્યાલો પર એક સાથે આવવું જોઈએ
એસ જયશંકરે આગળ કહ્યું, 5 અઠવાડિયા પહેલા યુએનએસસીએ પહલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી હતી. યુએનએસસીએ માંગ કરી હતી કે તેના ગુનેગારોને જવાબદાર ઠેરવવામાં આવે અને ન્યાયના કઠેડામાં લાવવામાં આવે. વિશ્વએ કેટલાક મૂળભૂત ખ્યાલો પર એક સાથે આવવું જોઈએ. આતંકવાદીઓને કોઈ છૂટ આપવામાં આવશે નહીં. પરમાણુ બ્લેકમેલ સામે ઝૂકવું જોઈએ નહીં. આતંકવાદનો પર્દાફાશ કરવો જરૂરી
આ પણ વાંચો…કુખ્યાત આતંકવાદીઓ પાકિસ્તાનના ખુલ્લે આમ કામ કરે છે; એસ જયશંકરે પાકિસ્તાને ઉઘાડું પડ્યું