
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાના ચૂંટણી પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની પણ હાર થઈ છે. જંગરપુરા સીટથી દિલ્હીના પૂર્વ શિક્ષણ પ્રધાન અને પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદીયાની કારમી હાર થઈ છે. આપના બે દિગ્ગજ નેતાઓની કારમી હાર થતાં કાર્યકર્તાઓમાં સોંપો પડી ગયો હતો.