ટોપ ન્યૂઝનેશનલ

અખિલેશ યાદવની જાહેરાત, સરકારમાં આવતા ચોવીસ કલાકમાં Agniveer યોજના રદ કરીશું

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે નિવૃત્ત ‘અગ્નિવીર’ (Agniveer) માટે પોલીસ દળમાં અનામતની જાહેરાત કર્યાના એક દિવસ પછી સમાજવાદી પાર્ટી ના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે શનિવારે પુનરોચ્ચાર કર્યો કે તેઓ આ અલ્પજીવી ‘અગ્નિવીર’ યોજનાને 24 કલાકની અંદર રદ કરશે. અખિલેશ યાદવે તાજેતરની લોકસભા ચૂંટણી દરમિયાન તેમની લગભગ તમામ રેલીઓમાં વચન આપ્યું હતું કે જો વિપક્ષી પાર્ટીઓ ઇન્ડી ગઠબંધન સત્તામાં આવશે તો ‘અગ્નિવીર’ ભરતી યોજના રદ કરશે.

જૂની ભરતી પ્રક્રિયાને પુનઃસ્થાપિત કરો

શનિવારે પણ તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું હતું કે સત્તામાં આવતાની સાથે જ ‘અગ્નિવીર‘ ભરતી યોજના રદ કરશે.સેનામાં ભરતીની જૂની પ્રક્રિયાને પુનઃસ્થાપિત કરવાની માગણી કરતી વખતે તેમણે કહ્યું હતું કે, ‘અગ્નિવીર’ પર આ અમારી માંગ છે જૂની ભરતી પ્રક્રિયાને પુનઃસ્થાપિત કરો.

મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે શુક્રવારે એક નિવેદનમાં કહ્યું હતું કે નિવૃત્ત અગ્નિવીરોને ઉત્તર પ્રદેશ પોલીસ અને પીએસી ફોર્સ (ટેરિટોરિયલ આર્મ્ડ કોન્સ્ટેબલરી)માં પ્રાધાન્ય આપવામાં આવશે.

અગ્નિવીર યોજનાના વિરોધીઓને પીએમ મોદીએ આડે હાથે લીધા હતા

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ કારગિલ વિજય દિવસની 25મી વર્ષગાંઠ પર અગ્નિવીર યોજના વિશે બોલતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘સત્ય એ છે કે અગ્નિવીર યોજનાથી દેશની શક્તિમાં વધારો થશે અને દેશના સક્ષમ યુવાનો પણ માતૃભૂમિની સેવા કરવા માટે આગળ આવશે. મને આશ્ચર્ય થાય છે કે કેટલાક લોકોની સમજને શું થયું છે.

લોકોની વિચારસરણીથી મને શરમ આવે છે

તેમના વિચારને શું થયું છે. તેઓ એવો ભ્રમ ફેલાવી રહ્યા છે કે સરકાર પેન્શનના પૈસા બચાવવા માટે આ યોજના લાવી છે. આવા લોકોની વિચારસરણીથી મને શરમ આવે છે પણ હું આવા લોકોને પૂછવા માંગુ છું કે મોદી સરકારના શાસનમાં આજે જે પણ ભરતી થાય છે તેને આજે જ પેન્શન આપવું પડશે?’

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ