નેશનલ

Supreme Court: નવા કાયદા હેઠળ ચૂંટણી કમિશનરની નિમણૂક નહીં થાય? SC સુનાવણી માટે તૈયાર

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પહેલા નવા કાયદા હેઠળ ચૂંટણી પંચ(Election Commission)માં ખાલી પડેલી ચૂંટણી કમિશનરોની નિમણુક માટે તૈયારીઓ ચાલી રહી છે. એ પહેલા કેન્દ્ર સરકાર(Central Government)ને નવા કાયદા મુજબ ચૂંટણી કમિશનરોની નિમણૂક કરવાથી રોકવા માટે એસોસિએશન ઑફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ સુપ્રીમ કોર્ટ(Supreme court)માં અરજી કરી છે, આ અરજી પર સુનાવણી કરવા SC સંમત થઇ છે, આ કેસ અંગે 15મી માર્ચે સુનાવણી કરવામાં આવશે.

ફેબ્રુઆરીમાં ચૂંટણી કમિશનર અનુપ ચંદ્ર પાંડેની નિવૃત્તિ અને હાલમાં અરુણ ગોયલના અચાનક રાજીનામા બાદ ત્રણ સભ્યોની ચૂંટણી પેનલમાં બે જગ્યાઓ ખાલી છે. ટૂંક સમયમાં લોકસભા ચૂંટણી યોજાવાની હોવાથી, આ જગ્યાઓ ભરવી જરૂરી છે, આ જગ્યાઓ નવા કાયદા હેઠળ ભરવામાં આવશે. આ જગ્યાઓ ભરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એક ઉચ્ચ-સ્તરીય સમિતિની બેઠક આ અઠવાડિયે થાય એવી શક્યતા છે.


એવામાં ADRએ નાવા કાયદા હેઠળ ચૂંટણી કમિશનરની નિમણુંક વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, સુપ્રીમ કોર્ટે અરજીને મંજુરી આપતા, મામલો સુનાવણી માટે સૂચિબદ્ધ કરવામાં આવ્યો છે.


મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર (નિમણૂક, સેવાની શરતો અને કાર્યાલયની મુદત) અધિનિયમ, 2023 મુજબ નિમણુક સમિતિમાં ભારતના મુખ્ય ન્યાયાધીશનો સમાવેશ નહીં થાય. ટીકાકારોએ આ પગલાને દેશની લોકશાહી માટે ખતરો ગણાવ્યો હતો. સરકાર પર આરોપ લગાવવામાં આવ્યા હતાં કે તે ચૂંટણી પ્રક્રિયા નિયંત્રિત કરવાના પ્રયસો કરી રહી છે. નવા કાયદા હેઠળ નિમણુક સમિતિમાં વડા પ્રધાન, એક કેન્દ્રીય પ્રધાન અને વિરોધ પક્ષના નેતા હશે. સમિતિ દ્વારા આપવામાં આવેલી સલાહના આધારે રાષ્ટ્રપતિ દ્વારા ચૂંટણી કમિશનરોની નિમણુક કરવામાં આવશે.


ચૂંટણી પંચ લોકસભા ચૂંટણીનું શેડ્યૂલ ટૂંક સમય જાહેર કરે એવી શક્યતા છે, એના થોડા દિવસો પહેલા, ચૂંટણી કમિશનર અરુણ ગોયલે ગયા શુક્રવારે રાજીનામું આપ્યું હતું, જે મોદી સરકાર હેઠળ ચૂંટણી કમિશનર દ્વારા બીજું રાજીનામું હતું. જેને કારણે વિવાદ ઉભો થયો હતો. બાદમાં અરુણ ગોયલે સ્પષ્ટતા કરી હતી કે તેમણે વ્યક્તિગત કારણોસર રાજીનામું આપ્યું હતું.


અગાઉ અશોક લવાસાએ ઓગસ્ટ 2020માં ચૂંટણી કમિશનર તરીકે રાજીનામું આપ્યું હતું. તેમણે છેલ્લી લોકસભાની ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચ દ્વારા લેવામાં આવેલા આદર્શ આચાર સંહિતા ભંગના નિર્ણયો પર અસંમતિ નોંધાવી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Unlocking Financial Freedom: Can a Lucky Flower Really Help? Aishwarya Rai Bachchan’s Surprising Sisterhood: Unknown Family Ties” Avoid the Fridge for These Fruits! Keep Them Fresh the Right Way Unblock Your Entryway: Essential Items to Avoid at Your Front Door