ટોપ ન્યૂઝનેશનલ

Eid-ul-Fitr : પીએમ મોદી અને યુપીના સીએમ યોગીએ પાઠવી ઈદની શુભેચ્છા

નવી દિલ્હી : દેશમા આજે ઈદનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. રમઝાનના પવિત્ર મહિના બાદ ઈદ-ઉલ-ફિત્ર ઉજવવામાં(Eid-ul-Fitr) આવે છે. આ દિવસ મુસ્લિમો માટે ખાસ છે. રવિવારે દેશમાં ઈદનો ચાંદ દેખાયો હતો ત્યારબાદ સોમવારે ઈદનો તહેવાર ઉત્સાહભેર ઉજવવામાં આવી રહ્યો છે.

આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને ઈદની શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ એક્સ પર ઈદની શુભકામના પાઠવતા લખ્યું કે, ઈદ-ઉલ-ફિત્રની શુભકામનાઓ. આ તહેવાર આપણા સમાજમાં આશા, સંવાદિતા અને દયા ભાવનાને વધારે તેવી પ્રાર્થના. તમામ પ્રયાસોમા ખુશી અને સફળતાની શુભેચ્છા, ઈદ મુબારક!

સીએમ યોગી આદિત્યનાથે પણ ઈદની શુભકામના પાઠવી

આ ઉપરાંત ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે સોમવારે રાજ્યના લોકોને ઈદની શુભેચ્છા પાઠવી અને કહ્યું કે આ તહેવાર પર, દરેક વ્યક્તિએ સદ્ભાવના અને સામાજિક સૌહાર્દને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ લેવો જોઈએ. મુખ્યમંત્રી કાર્યાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઈદ-ઉલ-ફિત્રના અવસર પર રાજ્યના લોકોને હાર્દિક શુભકામના પાઠવી છે.

આ પણ વાંચો:  રાજ ઠાકરેએ શરૂ કરી દીધી બીએમસી ઈલેક્શનની તૈયારીઃ ઔરંગઝેબની કબરના વિવાદ મામલે કહ્યું કે…

ખુશીનો આ તહેવાર સામાજિક એકતાને મજબૂત બનાવે છે

મુખ્યમંત્રી કાર્યાલયે લખ્યું છે કે, મુખ્યમંત્રીએ કહ્યું છે કે ખુશીનો આ તહેવાર સામાજિક એકતાને મજબૂત બનાવે છે અને પરસ્પર ભાઈચારાની ભાવના વધારે છે. આ તહેવાર શાંતિ અને સૌહાર્દનો સંદેશ આપે છે. આ તહેવાર પર સદ્ભાવના અને સામાજિક સૌહાર્દને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિજ્ઞા લેવા વિનંતી કરી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button