નેશનલ

બીએચયુમાં ડોક્ટરોની હડતાળને કારણે દર્દીઓએ સારવાર લીધા વગર જ પાછા ફરવું પડ્યું…

વારાણસી: યુપીના વારાણસીની બીએચયુમાં જુનિયર ડોક્ટરો 5 દિવસથી હડતાળ પર છે. બુધવારે મોડી રાત્રે હોસ્પિટલમાં દર્દીના પરિવારના સભ્યો અને ડોક્ટરો વચ્ચે ઝઘડો અને મારપીટ થઈ હતી. આ વિવાદ અને લડાઈ બાદ ગુરુવારે સવારથી તબીબો હડતાળ પર ઉતરી ગયા હતા. જેના કારણે દર્દીઓની મુશ્કેલીઓ વધી હતી.

હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળના કારણે હોબાળો મચી ગયો છે. તબીબોની હડતાળના કારણે હજારો દર્દીઓને સારવાર વિના પરત ફરવું પડે છે. આ ઉપરાંત અનેક નાની-મોટી કામગીરી પણ સ્થગિત કરી દેવામાં આવી હતી. જો કે હડતાળ વચ્ચે યુનિવર્સિટી ડોકટરોને કામ પર પાછા ફરવા માટે સતત અપીલ કરી રહ્યું છે.

બીએચયુ હોસ્પિટલમાં છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલી હડતાળને કારણે દર્દીઓની પરેશાની વધી છે. જુનિયર તબીબોની હડતાળના કારણે હોસ્પિટલમાં ઓપીડીથી લઈને ઈમરજન્સી સુધીની સેવાઓને અસર થઈ છે. સ્થિતિ એવી છે કે બીએચયુના સુપર સ્પેશિયાલિટી સેન્ટરમાં ચાલુ ઈમરજન્સીના કારણે દર્દીઓને સારવાર લીધા વગર પાછા ફરવું પડે છે. ઘણા એવા દર્દીઓ પણ છે જેમને દાખલ થયાના થોડા કલાકોમાં રજા આપવામાં આવી હતી.

બિહારથી આવેલા દર્દીના પરિવારના એક સભ્યે જણાવ્યું હતું કે તેઓ તાવ અને સાંધાના દુખાવાના કારણે તેમના દર્દીને ઈમરજન્સીમાં લાવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ પહેલા તેમને તપાસ્યા અને પછી થોડા કલાકો પછી પાછા જવાની સલાહ આપી.
યુનિવર્સિટી પ્રશાસન સતત જુનિયર તબીબો સાથે વાત કરીને હડતાળ સમેટવા માટે વાત કરી રહ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ