નેશનલ

રખડતા કૂતરા કરડે તો દરેક દાંતના નિશાન પર સરકાર આપશે આટલું વળતર

ચંદીગઢ: પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટે કહ્યું હતું કે રખડતા પ્રાણીઓ જો કોઇ પણ નાગરિકને નુકસાન કરે છે. તે પીડિતોને વળતર પૂરું પાડવાની પ્રાથમિક જવાબદારી રાજ્યની છે. આ ઉપરાંત કોર્ટે કહ્યું હતું કે કૂતરું કરડવાના કિસ્સામાં દરેક દાંતના નિશાન માટે 10,000 રૂપિયાની નાણાકીય સહાય તરીકે રાજ્યએ પિડીતને આપવું પડશે.

જસ્ટિસ વિનોદ એસ. ભારદ્વાજની ખંડપીઠે રખડતા પ્રાણીઓ દ્વારા થતા અકસ્માતોમાં ઘાયલ થયેલા અને માર્યા ગયેલા લોકોના પરિવારજનોને વળતર સંબંધિત 193 અરજીઓનો નિકાલ કરતી વખતે આ ચુકાદો આપ્યો હતો. કોર્ટે પ્રાણીઓ (રખડતા, જંગલી અથવા પાળેલા) દ્વારા થતી કોઈપણ ઘટના અથવા અકસ્માત અંગે ફરિયાદ મળે ત્યારે પોલીસ માટેની માર્ગદર્શિકા પણ જારી કરી હતી અને કહ્યું હતું કે જો આવી ઘટનામાં પોલીસ કાર્યવાહી નહી કરે તો કોર્ટ પોલીસની સામે કરાયવાહી કરશે.

કોર્ટે ખાસ કહ્યું હતું કે રખડતા અથવા જંગલી પ્રાણીઓ દ્વારા થતા અકસ્માતની માહિતી મળ્યા બાદ SHO (સ્ટેશન ઇન્ચાર્જ)એ કોઈપણ અનુચિત વિલંબ કર્યા વિના DDR (ડેઇલી ડાયરી રિપોર્ટ) ફાઇલ કરવો પડશે. પોલીસ અધિકારી કરેલા દાવાની ચકાસણી કરવામાં આવશે તેમજ સાક્ષીઓના નિવેદનો રેકોર્ડ કરવામાં આવશે. ઘટના સ્થળની વિગતો તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ખંડપીઠે પંજાબ અને હરિયાણાના પોલીસ મહાનિર્દેશકોને આ અંગે સંબંધિત અધિકારીઓને યોગ્ય સૂચના આપવાનો આદેશ પણ આપ્યો હતો.

કોર્ટે પંજાબ, હરિયાણા અને ચંદીગઢ પ્રશાસનને રખડતા ઢોર અથવા પ્રાણીઓ (ગાય, બળદ, બળદ, ગધેડો, કૂતરો, નીલગાય, ભેંસ વગેરે) દ્વારા થતી કોઈપણ ઘટનાના સંદર્ભમાં દાવા માટે ચૂકવવામાં આવતી વળતરની રકમ નક્કી કરવાનો નિર્દેશ આપ્યો હતો. સંબંધિત જિલ્લાઓના ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતામાં સમિતિઓ બનાવવાનો પણ કોર્ટે આદેશ કર્યો હતો. જ્યારે તમામ દસ્તાવેજો સાથે કોઇ પણ ઘટના તમારી સામે આવે કે તેના ચાર મહિનામાં જ નિરાકરણ લાવવાનું રહેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing Indian Cricket Stars Heating Up for the World Cup! Post Office Scheme: Earn Rs 1,11,000 Yearly with This Government Scheme Astrology marriage dates warning