Jagannath Puri Templeના ચારેય દ્વારનું મહત્ત્વ અને પ્રવેશ નિયમ વિશે જાણો છો? | મુંબઈ સમાચાર

Jagannath Puri Templeના ચારેય દ્વારનું મહત્ત્વ અને પ્રવેશ નિયમ વિશે જાણો છો?

નવી દિલ્હીઃ ઓડિશા જગન્નાથ પુરી ધામ (Odisha Jagannath Puri Temple)ના કોવિડકાળથી બંધ કરવામાં આવેલા ત્રણ દ્વાર આજે મુખ્ય પ્રધાન મોહન ચરણ માંઝીના આદેશ બાદ ખોલી મૂકવામાં આવ્યા છે. કોરોના મહામારી સમયે આ ત્રણ દ્વારા બંધ કરવામાં આવ્યા હતા અને શ્રદ્ધાળુઓને એક જ દ્વારથી મંદિરમાં પ્રવેશ કરવો પડતો, જેને કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. પરંતુ શું તમને જગન્નાથ પુરીના આ ચારેય દ્વાર અને તેના મહત્ત્વથી વાકેફ છો? ચાલો આજે તમને એ પાછળની સ્ટોરી જણાવીએ…

આ પણ વાંચો: Puri Jagannath Temple: જગન્નાથ મંદિરના ચારેય દરવાજા ખુલ્યા, ભાજપે ચૂંટણીમાં આપેલું વચન પૂરું કર્યું

સૌથી પહેલાં વાત કરીએ જગન્નાથ પુરીના ચાર દ્વારના નામ અને તેના મહત્ત્વ વિશે. મંદિરના પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દ્વાર છે જેના નામ અનુક્રમે સિંહ દ્વાર, વ્યાઘ્ર દ્વાર, હસ્તિ દ્વાર અને અશ્વ દ્વાર છે. આ ચારે દ્વારને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્યનું પ્રતિક માનવામાં આવે છે.

આ પણ વાંચો: ફાટેલી જીન્સ, સ્લીવલેસ કે હાફ પેન્ટ સાથે હવે જગન્નાથ પુરી મંદિરમાં નો એન્ટ્રી

Back to top button