દિલ્હીની સાકેત કોર્ટ પરિસરના લોકઅપમાં કેદીઓ વચ્ચે અથડામણ, એક કેદીનું મૃત્યુ

નવી દિલ્હી : દિલ્હીની સાકેત કોર્ટમાં મંગળવારે પોલીસની હાજરીમાં બે કેદીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જેમાં કોર્ટ પરિસરમાં સુનાવણી માટે લાવવામાં આવેલા બે કેદીઓને લોકઅપમાં રાખવામાં આવ્યા હતા. ત્યારે બે કેદીઓ વચ્ચે હિંસક અથડામણ થતાં એક કેદીનું મૃત્યુ થયું છે. જોકે,આ ઘટના બાદ એકવાર ફરી કોર્ટની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ખડા કર્યા છે.
અમનનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ
જેમાં મળતી માહિતી મુજબ આજે દિલ્હીની સાકેત કોર્ટના લોકઅપ માં કેદીઓના બે જૂથો વચ્ચે હિંસક લડાઈ થતાં અરાજકતા ફેલાઈ હતી. આ અથડામણમાં ઘાયલ થયેલા એક યુવાન અમનનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.આ મૃતકની ઓળખ અમન પુત્ર ધર્મેન્દ્ર ગોવિંદપુરી દિલ્હીના રહેવાસી તરીકે થઈ છે. અમન વિરુદ્ધ વર્ષ 2017 માં ૨૦૧૭ IPC કલમ 307 /34 હેઠળ ગોવિંદપુરી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.
હુમલા પાછળ જૂની દુશ્મનાવટ કારણભૂત
આ ઘટના સમયે ઘણા કાચા કામના કેદીઓ લોકઅપની અંદર હતા. અમન પર હુમલો કરનારાઓની ઓળખ જીતેન્દ્ર ઉર્ફે જીત્તે પુત્ર જગદીશ અને જયદેવ ઉર્ફે બચ્ચા પુત્ર લાલ ચંદ તરીકે થઈ છે. આ હુમલા પાછળનું કારણ જૂની દુશ્મનાવટ હતી.
વર્ષ 2024માં જીતેન્દ્ર અને અમન જેલની બહાર હતા ત્યારે વિવાદ થયો હતો
આ અંગે મળતી વિગતો મુજબ વર્ષ 2024માં જીતેન્દ્ર અને અમન જેલની બહાર હતા ત્યારે વિવાદ થયો હતો. ત્યારે અમને જીતેન્દ્ર અને તેના ભાઈ પર છરી વડે હુમલો કર્યો હતો. આ જ દુશ્મનાવટને કારણે મંગળવારે કોર્ટ લોકઅપમાં તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી.
આપણ વાંચો: ઘરે બેઠા કરો ‘રામ દરબાર’ના અલૌકિક દર્શન: અયોધ્યા રામ મંદિરમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા
મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ
આ ઘટના બાદ કોર્ટ પરિસરમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. તેની બાદ ઘટનાસ્થળે ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ તાત્કાલિક પહોંચી ગયા હતા. હાલમાં કોર્ટ લોકઅપ ખાલી કરાવી દેવામાં આવ્યું છે અને મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરવામાં આવી છે.