નેશનલ

Arvind Kejriwal ને સુપ્રિમ કોર્ટ તરફથી આંચકો, વચગાળાની જામીન અરજી ફગાવાઇ

નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને(Arvind Kejriwal)2 જૂને જ જેલમાં પરત જવું પડશે. વચગાળાના જામીન સાત દિવસ લંબાવવાની તેમની અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી છે. સુપ્રિમ કોર્ટના રજિસ્ટ્રારે સુનાવણી માટે અરજી સ્વીકારી નથી.અરવિંદ કેજરીવાલને 21 દિવસના વચગાળાના જામીન આપતાં સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે દિલ્હીના મુખ્યમંત્રીએ 2 જૂને જેલમાં પરત ફરવું પડશે.

કેજરીવાલની અરજી સાંભળવાનો ઇનકાર કર્યો

કેજરીવાલને 10 મેના રોજ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાએ વચગાળાના જામીન આપ્યા હતા અને 2 જૂને તિહાર જેલમાં પરત ફરવાનું કહેવામાં આવ્યું હતું. 17 મેના રોજ પીએમએલએ કેસમાં તેની ધરપકડની કાયદેસરતાને પડકારતી બેન્ચે ED પર તેનો ચુકાદો અનામત રાખ્યો હતો. મંગળવારે સુપ્રિમ કોર્ટની અન્ય બેન્ચે પણ કેજરીવાલની અરજી સાંભળવાનો ઇનકાર કર્યો હતો.

Read More: કેજરીવાલની જામીનની મુદતમાં વધારાની અરજી પર તાત્કાલિક સુનાવણીની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

કેજરીવાલે અરજીમાં શું કહ્યું?

અરવિંદ કેજરીવાલે સુપ્રિમ કોર્ટને 6 થી 7 કિલો વજનમાં અચાનક ઘટાડો થવાને કારણે અનેક તબીબી પરીક્ષણો કરાવવા માટે વચગાળાના જામીનનો સમયગાળો સાત દિવસ વધારવાની વિનંતી કરી હતી. કેજરીવાલે 26 મેના રોજ દાખલ કરેલી તેમની અરજીમાં કહ્યું હતું કે તેઓ 2 જૂનના બદલે 9 જૂને જેલમાં પરત જવા માગે છે.

તેમનું વજન 6 થી 7 કિલો ઘટી ગયું

અરજીમાં કહેવામાં આવ્યું છે કે તેમનું વજન 6 થી 7 કિલો ઘટી ગયું છે અને તેનું કીટોન લેવલ ઘણું ઊંચું છે. જે કિડની, હૃદય રોગ અને કેન્સરનું પણ સંભવિત સૂચક છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રીને પીઈટી-સીટી સ્કેન સહિત કેટલાક મેડિકલ ટેસ્ટ કરાવવાની જરૂર છે. શરીરના અંગો અને પેશીઓના વિગતવાર ચિત્રો PET-CT સ્કેન એટલે કે પોઝિટ્રોન એમિશન ટોમોગ્રાફી-કમ્પ્યુટેડ ટોમોગ્રાફી ટેસ્ટ દ્વારા લેવામાં આવે છે.

Read More: Swati Maliwal પાસે સીએમને મળવા કોઇ એપોઈન્ટમેન્ટ ન હતી, બિભવના વકીલની કોર્ટમા દલીલ

1 જૂનના રોજ સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન

10 મેના રોજ સુપ્રિમ કોર્ટે કેજરીવાલને લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રચાર કરવા માટે 1 જૂન સુધી એટલે કે 21 દિવસના વચગાળાના જામીન આપ્યા હતા જે મુજબ તેમને 2 જૂને જેલમાં પાછા ફરવું પડશે. કેજરીવાલની એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે કેજરીવાલ 2 જૂને જેલમાં પરત ફરશે. 1 જૂનના રોજ સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન થવાનું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ