
નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી વિસ્ફોટ અંગે પ્રતિક્રિયા આપી છે. એક્સ પર પીએમ મોદીએ વિસ્ફોટમાં જીવ ગુમાવનારાઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી. તેમણે કહ્યું, સત્તાવાળાઓ વિસ્ફોટથી પ્રભાવિત લોકોને સહાય પૂરી પાડી રહ્યા છે.
ગૃહમંત્રી અમિત શાહે અન્ય અધિકારીઓ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી છે. દિલ્હી વિસ્ફોટમાં અત્યાર સુધી સત્તાવાર રીતે 8 લોકોના મોત થયા છે. તેમજ મળતી માહિતી મુજબ એક પોલીસે એક શંકાસ્પદ વ્યકિતની અટકાયત પણ કરી છે.
અમિત શાહે દિલ્હીના બ્લાસ્ટ સ્થળની મુલાકાત લીધી
આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા હતા. તેમજ તેની બાદ ઘટના સ્થળની પણ મુલાકાત લીધી હતી. આ સમગ્ર ઘટના અંગે અમિત શાહે કહ્યું કે, આજે સાંજે લગભગ 7 વાગ્યાની આસપાસ દિલ્હીના લાલ કિલ્લા નજીક સુભાષ માર્ગ ટ્રાફિક સિગ્નલ પર હ્યુન્ડાઇ i20 કારમાં વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં કેટલાક રાહદારીઓ ઘાયલ થયા અને કેટલાક વાહનોને નુકસાન થયું છે. પ્રાથમિક અહેવાલો પ્રમાણે, કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો છે.
દિલ્હી સ્પેશિયલ બ્રાન્ચની ટીમો ઘટનાસ્થળે પહોંચી
આ વિસ્ફોટની માહિતી મળ્યાના 10 મિનિટની અંદર દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ અને દિલ્હી સ્પેશિયલ બ્રાન્ચની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. NSG અને NIA ટીમો, FSLસાથે, હવે સંપૂર્ણ તપાસ શરૂ કરી દીધી છે. નજીકના તમામ CCTV કેમેરાની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો…‘દિલ્હીમાં લાલ કિલ્લા પાસે i20 કારમાં વિસ્ફોટ થયો…’, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આપ્યું નિવેદન…



