કેન્દ્રીય કમર્ચારીઓની દશેરા નહીં દિવાળીઃ મોંઘવારી ભથ્થું વધાર્યું સરકારે | મુંબઈ સમાચાર
નેશનલ

કેન્દ્રીય કમર્ચારીઓની દશેરા નહીં દિવાળીઃ મોંઘવારી ભથ્થું વધાર્યું સરકારે

આવતીકાલે આખો દેશ દશેરા ઉજવશે, પરંતુ કેન્દ્રીય કમર્ચારીઓને તો આજે જ દિવાળી ઉજવવાનું બહાનું મળી ગયું છે. કેન્દ્રીય કેબિનેટે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. DA Hike થતાં કર્મચારીઓને 55 ટકાને બદલે 58 ટકા મોંઘવારી ભથ્થું મળશે. વળી, આ વધારો 1લી જુલાઈ, 2025થી અમલમાં મૂકવામાં આવશે. આ વધારો તમામ કેન્દ્રીય કમર્ચારીઓ, પેન્શનર્સ અને ફેમેલી પેન્શનર્સને મળશે. સાતમા વેતન હેઠળ કરવામાં આવેલો આ વધારાને લીધે દિવાળીની ખરીદી જોરશોરથી કમર્ચારીઓ કરશે, તેમ માનવામાં આવે છે.

સરકાર વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થાં અંગે નિર્ણય લઈ તેમાં વધારો કરે છે. મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત આ બન્નેની જાહેરાત થઈ ગઈ છે.

સેલરી અનુસાર વધારાને સમજીએ તો માનો કે કોઈનું માસિક વેતન રૂ. 40,000 છે તો મહિને રૂ. 1,200 તેને વધારે મળશે. આ જાહેરાતનો લાભ 48 લાખ કેન્દ્રીય કમર્ચારી અને 68 લાખ પેન્શનર્સને મળશે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button