નેશનલ

જાસૂસી કેસ: યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાને ઝટકો, હિસાર કોર્ટે જામીન અરજી ફગાવી

નવી દિલ્હી: પાકિસ્તાન માટે ભારતની જાસૂસી કરવાના ગંભીર આરોપોનો સામનો કરી રહેલી યુટ્યુબર અને ટ્રાવેલ બ્લોગર જ્યોતિ મલ્હોત્રાને (Jyoti Malhotra) હિસાર કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી છે. જ્યોતિના વકીલ કુમાર મુકેશે જામીન માટે અરજી કરી હતી, પરંતુ કોર્ટે તેમને જામીન આપવાનો ઇનકાર કર્યો છે.

જ્યોતિ મલ્હોત્રા પર શું છે આરોપ?

હરિયાણાના હિસારની યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા પર કથિત રીતે આરોપ છે કે તેણે પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ સાથે મળીને ભારતની સંવેદનશીલ જાણકારીઓ, ખાસ કરીને સૈન્ય ગતિવિધિઓ અને સ્થળો સંબંધિત માહિતી, શેર કરી છે.

આપણ વાંચો: જાસૂસી કૌભાંડમાં નવો વળાંક: યુટ્યુબર જસબીર સિંહના મોબાઈલમાંથી 150 પાકિસ્તાની કોન્ટેક્ટ મળ્યા…

તપાસ મુજબ, 2023માં પાકિસ્તાનના વિઝા માટે દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનમાં જ્યોતિની મુલાકાત એહસાન-ઉર-રહીમ ઉર્ફે દાનિશ સાથે થઈ હતી.

દાનિશ એ જ વ્યક્તિ હતો જેને 13 મે, 2025ના રોજ ભારત સરકારે જાસૂસીના આરોપમાં દેશમાંથી હાંકી કાઢ્યો હતો. જ્યોતિએ દાનિશ અને અન્ય પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓ, જેમ કે શાકિર અને રાણા શાહબાઝ, સાથે સંપર્ક જાળવી રાખ્યો હતો.

આપણ વાંચો: પાકિસ્તાન માટે જાસૂસીના કેસમાં એન્જિનિયરને અદાલતી કસ્ટડી

પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓ સાથે સંપર્ક

જ્યોતિએ ઘણી વખત પાકિસ્તાનની મુસાફરી કરી હતી, જેના વીડિયો તેના સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. પાકિસ્તાનમાં તેને વીઆઈપી ટ્રીટમેન્ટ અને પોલીસ સુરક્ષા પણ મળતી હતી. તેણે પાકિસ્તાની હાઈ કમિશનની ઇફ્તાર પાર્ટીમાં પણ ભાગ લીધો હતો અને ત્યાં તેની હાઇ પ્રોફાઇલ ધરાવતા લોકો સાથે મુલાકાત થઈ હતી. તપાસમાં એ સામે આવ્યું છે કે તે પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓ સાથે સતત સંપર્કમાં હતી.

જ્યોતિ અને તેના વકીલનો બચાવ

જ્યોતિ અને તેના વકીલ કુમાર મુકેશે તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને જણાવ્યું છે કે જ્યોતિ નિર્દોષ છે. જ્યોતિના પિતા હરીશ મલ્હોત્રાએ પણ કહ્યું કે તેમની પુત્રીને ફસાવવામાં આવી રહી છે અને તે ફક્ત ફરવા માટે પાકિસ્તાન ગઈ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button