ઇન્ટરનેશનલનેશનલ

ઓપરેશન સિંદૂરનો નવો ખુલાસો: ભારતીય સેનાએ બ્રહ્મોસ અને ક્રિસ્ટલ મેજ મિસાઈલથી પાકિસ્તાનની ઊંઘ કરી હતી હરામ

નવી દિલ્હી: પહલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાન અને પીઓકેમાં આવેલા આતંકી ઠેકાણાઓને ધ્વસ્ત કર્યા હતા. આ ઓપરેશનમાં વાયસેનાના એકથી એક ચડિયાતા જેટ, મિસાઈલ અને ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે અંગે હવે નવી માહિતી પણ મળી આવી છે. ભારતીય વાયુસેનાએ 19 બ્રહ્મોસ મિસાઈલ અને ક્રિસ્ટલ મેજ મિસાઈલનો ઉપયોગ પણ કર્યો હતો. જેના કારણે પાકિસ્તાન પીછેહઠ કરવા મજબૂર બન્યું હતું.

વાયુસેનાના હથિયારોએ પોતાની ક્ષમતા બતાવી

મીડિયા પાસેથી મળતી માહિતી મુજબ ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય વાયુસેનાના ફાઇટર જેટ વડે જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઇલો અને S-400 એર ડિફેન્સ સિસ્ટમે ચીન દ્વારા બનાવાયેલા પાકિસ્તાની 4 ફાઈટર જેટ અને બે મોટા વિમાનોને તોડી પાડ્યા હતા. પાકિસ્તાનના સરગોધા, રફીકી, જૈકબાબાદ અને નૂર ખાન સહિતના 11 એરબેઝ પર વાયુસેનાના હમલા દરમિયાન બે એફ-16 ફાઈટર જેટને આંશિક રીતે નુકસાન પહોંચ્યું હતું. આ ઓપરેશનમાં ભારતના રાફેલ ફાઈટર જેટ, એસ-400 મિસાઈલ સિસ્ટમ અને એમ 777 હોવિત્જરે ચાર દિવસમાં પોતાની ક્ષમતા પૂરવાર કરી છે.

મિસાઈલો દ્વારા આંતકી ઠેકાણા કરાયા જમીનદોસ્ત

ઓપરેશન સિંદૂર દરમિયાન 7 મેના રોજ ભારતે પોતાનો પહેલો આતંકવાદ વિરોધી હુમલો કર્યો હતો. વાયુસેનાએ મરકજ-એ-તૈયબા પર ચારથી પાંચ ક્રિસ્ટલ મેજ મિસાઈલ વડે સફળ હુમલો કર્યો હતો. મરકજ-એ-સુભાન અલ્લાહમાં જૈશ-એ-મહંમગના ઠેકાણાઓ પર રાફેલ ફાઈટર જેટ દ્વારા 6 SCALP મિસાઈલોનો હુમલો કરવામાં આવ્યો હતો અને બંકર-બસ્ટિંગ તકનીકનો ઉપયોગ કરીને તેને સંપૂર્ણપણે જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા.

13 પાકિસ્તાની એરબેઝનો ભારતે કર્યો સફાયો

ભારતીય સેનાના એમ 777 હોવિત્ઝર્સે તોપ દ્વારા યુએસ દ્વારા નિર્મિત એક્સકેલિબર દારૂગોળાનો ઉપયોગ કરીને પાકિસ્તાની સેનાની બીજી સંરક્ષણ હરોળનો નાશ કર્યો હતો. 7 મેની સવારે ઓપરેશન શરૂ થવાથી લઈને 10 મેની સાંજે યુદ્ધવિરામની જાહેરાત થઈ ત્યાં સુધી ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં નવ આતંકવાદી છાવણીઓ પર બોંબમારો કર્યો હતો અને ઓછામાં ઓછા 100 આતંકવાદીઓને મારી નાખ્યા હતા. ભારતીય વાયુસેનાએ 13 પાકિસ્તાની એરબેઝ અને લશ્કરી સંસ્થાઓને પણ નિશાન બનાવી હતી.

આપણ વાંચો:  મહુઆ મોઇત્રાનો પતિ પિનાકી મિશ્રા સાથે ડાન્સનો વીડિયો વાયરલ, લોકો આપી રહ્યા છે અભિનંદન

પાકિસ્તાની હુમલાથી ભારતને ન થયું નુકસાન

ભારતે 10 મેના રોજ જવાબી હુમલામાં એક ચીની LY-80 ફાયર રડાર, બે AN/TPQ-43 યુએસ દ્વારા નિર્મિત સ્વચાલિત ટ્રૈકિંગ રડાર અને ચકલાલામાં ચીની HQ-9 રડારની એક ફાયર યુનિટનો નાશ કર્યો હતો. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાની એરબેઝ પર 19 બ્રહ્મોસ સુપરસોનિક ક્રુજ મિસાઈલ અને લગભલ એટલી જ ફ્રાંસીસી SCALP સબસોનિક ક્રુજ મિસાઈલ વડે હુમલો કર્યો હતો. જેના વળતા પ્રહારમાં પાકિસ્તાને ચીની JF-17 ફાઈટર જેટનો ઉપયોગ કરીને ભારતીય એરબેઝ પર CM-400 AKG એર-લોન્ચ સુપરસોનિક મિસાઈલ વડે હુમલો કર્યો હતો. પરંતુ તેનાથી કોઈ નુકસાન થયું ન હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button