ધર્મતેજનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

ત્રણ દિવસ બાદ બુધ અને સૂર્યની થશે યુતિ, આ રાશિના જાતકો થશે માલામાલ…

આજથી સપ્ટેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે અને જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ પણ આ મહિનો ખૂબ જ શુકનિયાળ સાબિત થવા જઈ રહ્યો છે. આ મહિનાની શરૂઆતમાં જ બે મહત્ત્વના ગ્રહોની યુતિ થઈ રહી છે જેને કારણે વિશેષ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ યોગને કારણે અમુક રાશિના જાતકોને અપરંપાર લાભ થઈ રહ્યો છે.

સપ્ટેમ્બર મહિનાની ચોથી તારીખે ગ્રહોના રાજકુમાર બુધ સિંહ રાશિમાં ગોચર કરી રહ્યા છે. આ રાશિમાં ગ્રહોના રાજા સૂર્ય પહેલાંથી જ બિરાજમાન છે. સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ યોગ 4 રાશિના જાતકોને કરિયર અને કારોબારના ક્ષેત્રમાં વિશેષ લાભ અપાવી શકે છે. આ સાથે સરકારી ક્ષેત્રમાં પણ આ જાતકોને લાભ થશે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ…

મેષઃ
મેષ રાશિના જાતકોને બુધાદિત્ય યોગથી વિશેષ લાભ શઈ રહ્યો છે. આ રાશિના જાતકોને શિક્ષણ ક્ષેત્રમાં અનુકૂળ પરિણામ મળી શકે છે. જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાના પરિણામની રાહ જોઈ રહ્યાં છે તેને સારા સમાચાર મળી શકે છે. તમારા બગડી રહેલા કામ પણ આ દરમિયાન થવા લાગશે. કરિયરના ક્ષેત્રમાં પણ સ્થિતિ અનુકૂળ હશે, કેટલાક લોકોને વધારાની જવાબદારી આ દરમિયાન મળી શકે છે. પ્રેમ જીવન જીવી રહેલાં લોકો પોતાના પાર્ટનરની સાથે સારો સમય પસાર કરી શકે છે.

મિથુનઃ
મિથુન રાશિના જાતકો માટે બની રહેલો આ બુધાદિત્ય યોગના પ્રભાવથી સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ જોવા મળી શકે છે. તમારી વાણીમાં સ્પષ્ટતા હશે, જેનાથી લોકો તમારા તરફ આકર્ષિત થશે. આ રાશિના જે જાતકો મીડિયા કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કાર્યરત છે, તેને ઈચ્છિત પરિણામ મળી શકે છે. તે પોતાની યોગ્યતા સાબિત કરી શકે છે. પૈસાને લઈને જો તમે પરેશાન હોવ તો તમને સપ્ટેમ્બર મહિનામાં રાહત મળી શકે છે. નાની યાત્રાઓથી આ જાતકોને લાભ થશે.

તુલાઃ
તુલા રાશિના જાતકો માટે સપ્ટેમ્બરનો મહિનો લાભદાયક સાબિત થઈ રહ્યો છે. આ મહિને તમારા લાભ ભાવમાં બુધાદિત્ય યોગ બનશે અને આ સાથે તમારી રાશિના સ્વામી પણ આ ભાવમાં હશે. ગ્રહોની આ સ્થિતિ તમને વિવિધ સ્ત્રોતથી લાભ અપાવી શકે છે. બસ તમારે તક ઓળખવાની છે. જે લોકો નોકરીમાં પરિવર્તનનો પ્રયાસ કરી રહ્યાં છે તેને સફળતા મળી શકે છે. આ દરમિયાન તમને ભાઈ-બહેનનો પણ સહયોગ મળશે. સ્વાસ્થ્યમાં પણ સારા પરિણામ તમને જોવા મળી શકે છે.

વૃશ્ચિકઃ
વૃશ્ચિક રાશિના જાતકોને બુધ અને સૂર્યની યુતિથી કામના સ્થળે સારૂ પરિણામ મળી શકે છે. તમારા કાર્યની પ્રશંસા આ દરમિયાન થઈ શકે છે. આ રાશિના કેટલાક જાતક પોતાનું કાર્ય પણ શરૂ કરી શકે છે. તમારૂ મન શાંત હશે, જેનાથી તમે મોટા નિર્ણયો સરળતાથી લઈ શકશો. આ દરમિયાન કારોબારી પોતાના કારોબારનો વિસ્તાર કરશે. આ સમયગાળા દરમિયાન તમારી કોઈ જૂની ઈચ્છા પૂરી થઈ રહી છે.

Show More

Related Articles

Back to top button
ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન…