નેશનલ

ગુજરાતમાં શીત લહેર નલિયા આઠ ડિગ્રી સાથે સૌથી ઠંડું

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં ધીમે ધીમે પારો ગગડી રહ્યો છે. નવા વર્ષના દિવસથી ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. કચ્છનું નલિયા ત્રણ ડિગ્રી જેટલા ઘટાડા સાથે સૌથી ઠંડુ શહેર બન્યું હતું. નલિયામાં લઘુતમ તાપમાન ૮ ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદમાં લઘુતમ તાપમાન ૧૬ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૨૮ ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા આગામી પાંચ દિવસ હવામાન મોટાભાગે સૂકુ રહી શકે છે.

છેલ્લા કેટલાક દિવસોમાં નલિયામાં પારો ૮.૫ થી ૧૨.૫ ડિગ્રી વચ્ચે નોંધાઈ રહ્યો છે. શીતમથક નલિયામાં ઠંડીનો પારો છેલ્લા બે દિવસોથી સિંગલ ડિમિટમાં નોંધાઈ રહ્યો છે. મંગળવારે નલિયામાં ૮ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાતા રાજ્યનું સૌથી ઓછું તાપમાન ધરાવતું મથક બન્યું હતું. અમદાવાદમાં લઘુતમ તાપમાન ૧૬ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૨૮ ડિગ્રી આસપાસ છે. જેના કારણે સવારે ઠંડી લાગે છે, જ્યારે બપોરે ગરમીનો અનુભવ થાય છે. હાલમાં ચાર-પાંચ દિવસ તાપમાન વધુ ફેરફાર થવાની સંભાવના નથી. અરબી સાગર અને બંગાળની ખાડીમાંથી આવેલા ભેજના કારણે હાલમાં તાપમાનમાં વધુ ઘટાડો થયો નથી. હાલમાં ભેજ નીચેના લેવલ પર હોવાના કારણે સવારે ધુમ્મસ છવાયેલું રહે છે.

રાજ્યમાં અલગ-અલગ અન્ય શહેરોના લઘુત્તમ તાપમાનમાં અમદાવાદમાં ૧૬ ડિગ્રી, ડીસામાં ૧૩ ડિગ્રી, ગાંધીનગર માં ૧૪ ડિગ્રી, વડોદરા, સુરત અને વલસાડમાં ૧૭ ડિગ્રી, ભૂજમાં ૧૨ ડિગ્રી, કંડલા પોર્ટમાં ૧૫ ડિગ્રી, કંડલા એરપોર્ટ પર ૧૨ ડિગ્રી, દ્વારકામાં ૧૬ ડિગ્રી, પોરબંદરમાં ૧૪ ડિગ્રી, રાજકોટમાં ૧૩ ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં ૧૪ ડિગ્રી, કેશોદમાં ૧૨ ડીગ્રી નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાનમાં અમદાવાદ અને ડીસામાં ૨૮ ડિગ્રી, ગાંધીનગરમાં ૨૭ ડિગ્રી, વડોદરામાં ૨૯ ડિગ્રી, સુરતમાં ૩૦ ડિગ્રી, વલસાડમા ૩૪ ડિગ્રી, ભૂજમાં ૨૮ ડિગ્રી, કંડલા એરપોર્ટ પર ૨૭ ડિગ્રી, દ્વારકામાં ૨૯ ડિગ્રી, પોરબંદરમાં ૩૦ ડિગ્રી, રાજકોટમાં ૨૯ ડિગ્રી, સુરેન્દ્રનગર અને કેશોદમાં ૨૮ ડિગ્રી નોંધાયું હતું.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ડિસેમ્બર મહિનામાં તાપમાન વધુ રહેવાને કારણે ઠંડી ઓછી પડી છે.પરંતુ હવે જાન્યુઆરીમાં ઠંડીનો ચમકારો વધી શકે છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં તાપમાન સામાન્ય રહેશે અને વરસાદની કોઈ સંભાવના નથી. હવે રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા