નેશનલ

Himachal:’જયરામ ઠાકુરને સત્તાની ભૂખ’ CM સુખુના વિપક્ષના નેતા પર આકરા પ્રહાર, કહ્યું અમારી સરકાર પાંચ વર્ષ સુધી ચાલશે

હિમાચલ પ્રદેશમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ (Himachal Political Crisis) વચ્ચે મુખ્યપ્રધાન સુખવિંદર સિંહ સુખુએ (CM sukhvindar singh sukhu) વિપક્ષના નેતા જયરામ ઠાકુર પર નિશાન સાધ્યું છે. CM સુખવિંદર સિંહ સુખુએ કહ્યું કે જયરામ ઠાકુર સત્તાના ભૂખ્યા છે. તેમણે કહ્યું કે તેઓ સત્તાના એટલા ભૂખ્યા થઈ ગયા છે કે તેમણે હિમાચલ પ્રદેશમાં તોડફોડની સંસ્કૃતિને જન્મ આપ્યો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસના ધારાસભ્યોને પંચકુલાથી હેલિકોપ્ટર દ્વારા શિમલા લાવવામાં આવી રહ્યા છે.

મુખ્યપ્રધાન સુખવિંદર સિંહ સુખુએ કહ્યું કે હિમાચલ પ્રદેશમાં એક નવા પ્રકારની રાજનીતિને જન્મ આપવામાં આવી રહ્યો છે. અહીં ધારાસભ્યોને CRPF અને હરિયાણા પોલીસના જવાનો દ્વારા સુરક્ષા આપવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે ભાજપ અધિકારીઓને ડરાવવાનો પ્રયાસ કરી રહી છે. CM સુખવિંદર સિંહ સુખુએ કહ્યું કે આ પ્રકારની સંસ્કૃતિ હિમાચલ પ્રદેશના લોકો સ્વીકારી શકે નહીં.

મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ કહ્યું કે જ્યારે 15 વિપક્ષી સભ્યોને ગેરવર્તણૂક માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ પછી વિપક્ષી સભ્યો સ્પીકરની સીટ પાસે ગયા અને તેમના ટેબલ પરથી પેપર ફેંકવા લાગ્યા હતા.

આ સિવાય વિધાનસભા સચિવના ટેબલ પરથી કાગળો ઉપાડીને હવામાં ફેંકવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન દરમિયાન પણ ભાજપના નેતાઓએ પોલિંગ એજન્ટો સાથે ગેરવર્તન કર્યું હતું. તેઓએ વિધાનસભાના અધ્યક્ષનેઆ સમગ્ર મામલે કડક કાર્યવાહીની માંગ પણ ઉઠાવી છે.

CM સુખુએ કહ્યું કે છ ધારાસભ્યોમાંથી એક કહી રહ્યો હતો કે આ ઘટના વચ્ચે તેને હેલિકોપ્ટરની સવારી પણ મળી. મુખ્યપ્રધાન સુખવિંદર સિંહ સુખુએ આ સમગ્ર ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તેમની સરકાર પાંચ વર્ષ સુધી ચાલશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો