
બીજાપુરઃ છત્તીસગઢના બીજાપુરમાં નક્સલીઓ સામે મોટી કાર્યવાહી થઈ હતી. નકસલ વિરોધી અભિયાન દરમિયાન અત્યાર સુધીમાં 7 નકસલીના મૃતદેહ મળી આવ્યા છે. જેમાંથી 2ની ઓળખ થઈ છે અને બાકીનાની ઓળખ કરવાની કોશિશ થઈ રહી છે.
બસ્તરના આઈજી પી સુંદરરાજને જણાવ્યું, બીજાપુર જિલ્લાના રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તારમાં ચાલી રહેલા નક્સલ વિરોધી અભિયાન દરમિયાન સુરક્ષાદળોએ અત્યાર સુધીમાં કુલ 7 માઓવાદીના મૃતદેહ મળી આવ્યા હતા. જેમાં કેન્દ્રીય સમિતિના સભ્ય ગૌતમ ઉર્ફે સુધારકર અને તેલંગાણા રાજ્ય સમિતિના સભ્ય ભાસ્કરના મૃતદેહ સામેલ છે.

તેમણે જણાવ્યું, બીજાપુર જિલ્લાના રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તારમાં નક્સલ વિરોધી અભિયાન અંતર્ગત 5, 6 અને 7 જૂન 2025ના રોજ થયેલી અથડામણ બાદ કુલ 7 માઓવાદીના મૃતદેહ મળ્યા છે. જેમાંથી બેની ઓળખ થઈ હતી, જ્યારે બાકીના પાંચની ઓળખ કરવાનો પ્રયાસ શરૂ કરવામાં આવી રહી છે.
બસ્તરના આઈજી પી સુંદરરાજે કહ્યું, મૃતદેહ મળ્યા બાદ અથડામણના સ્થળેથી 2 એકે-47 રાઈફલ સહિત મોટી સંખ્યામાં દારૂ-ગોળો જપ્ત કરવામાં આવ્યો હતો. આસપાસના જંગલના વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ છે. કેટલાક સુરક્ષાકર્મીઓને સર્પ દંશ, મધમાખીએ ડંખ મારતા તથા અન્ય ઓપરેશનના કારણે ઈજા થઈ હતી.

છત્તીસગઢ વિધાનસભા અધ્યક્ષ ડો. રમણ સિંહે કહ્યું, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ 2026 સુધી નકસલવાદના ખાતમાની ડેડલાઈન નક્કી કરી છે. પોલીસ સમગ્ર શક્તિ સાથે કામ કરી રહી છે અને 100 ટકા સફળતા મળશે. છત્તીસગઢમાં નક્સલીઓ સામે સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનના કારણે અનેક નક્સલીઓનો ખાતમ થયો છે અને ઘણાએ આત્મસમર્પણ કર્યું છે.
આપણ વાંચો : છત્તીસગઢના સુકમા જિલ્લામાં ૧૮ નક્સલીએ આત્મસમર્પણ કર્યું