નેશનલ

“તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો… ” જાણો કોણે આવો આરોપ લગાવ્યો..

અમરાવતીઃ આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ બુધવારે ચોંકાવનારો દાવો કર્યો હતો. તેમણે અગાઉની વાયએસઆર કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો કે તેમના શાસન દરમિયાન તિરુપતિમાં પ્રસાદ તરીકે પીરસવામાં આવતા લાડુમાં પ્રાણીઓની ચરબીનો ઉપયોગ કરવામાં આવતો હતો. પાછલી સરકાર શુદ્ધ ઘીની જગ્યાએ પ્રાણીઓની ચરબીનો ઉપયોગ કરતી હતી. YS જગન મોહન રેડ્ડીની આગેવાનીવાળી પાર્ટીએ આ આરોપને બકવાસ ગણાવીને નકારી કાઢ્યો છે.

બુધવારે એનડીએના વિધાન સભ્ય દળની બેઠકને સંબોધતા ચંદ્રબાબુ નાયડુએ કહ્યું હતું કે જગન રેડ્ડી સરકાર હેઠળ તિરુપતિમાં શ્રી વેંકટેશ્વર મંદિર દ્વારા ‘પ્રસાદ’ તરીકે આપવામાં આવતા લાડુ બનાવવા માટે શુદ્ધ ઘીની જગ્યાએ પશુઓની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મંદિરનું સંચાલન તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) દ્વારા કરવામાં આવે છે. નોંધનીય છે કે તાજેતરમાં નાયડુની તેલુગુ દેશમ પાર્ટી જૂનમાં પવન કલ્યાણની જનસેના અને ભાજપ સાથે ગઠબંધન કરીને આંધ્રપ્રદેશમાં સત્તા પર આવી હતી.

“છેલ્લા 5 વર્ષોમાં, YSR કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ તિરુમાલાની પવિત્રતાને કલંકિત કરી છે. તેઓએ ‘અન્નદાનમ’ (મફત ખોરાક)ની ગુણવત્તા સાથે સમાધાન કર્યું છે અને ઘીને બદલે પ્રાણીની ચરબીનો ઉપયોગ કરીને પવિત્ર તિરુમાલા લાડુ તૈયાર કર્યા છે,” એમ નાયડુએ તેલુગુમાં કહ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હવે શુદ્ધ ઘીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મંદિરની દરેક વસ્તુ સાફ થઈ ગઈ છે. આનાથી લાડુની ગુણવત્તામાં સુધારો થયો છે.

આ સમગ્ર મામલે YSR કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ વાયવી સુબ્બા રેડ્ડીએ ચંદ્રાબાબુ નાયડુ પર તિરુપતિ મંદિરની પવિત્રતાને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. વાયવી સુબ્બા રેડ્ડી જગન રેડ્ડી સરકારમાં ટીટીડીના ચેરમેન હતા. રેડ્ડીએ સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે, “ફરી એકવાર સાબિત થઈ ગયું છે કે ચંદ્રબાબુ નાયડુ રાજકીય લાભ માટે કોઈપણ સ્તરે ઝૂકી શકે છે. ચંદ્રબાબુ નાયડુએ તિરુમાલાની પવિત્રતા અને કરોડો હિન્દુઓની આસ્થાને ગંભીર નુકસાન પહોંચાડ્યું છે. તિરુમાલા પ્રસાદ વિશે તેમની ટિપ્પણીઓ અત્યંત દુર્ભાવનાપૂર્ણ છે. કોઈ પણ વ્યક્તિએ આવા શબ્દો ન બોલવા જોઈએ કે આક્ષેપો ના કરવા જોઈએ. ભક્તોની આસ્થાને મજબૂત કરવા માટે, હું મારા પરિવાર સાથે ભગવાન સમક્ષ તિરુમાલા ‘પ્રસાદ’ વિશે શપથ લઈશ.” શું તેઓ (નાયડુ) તેમના પરિવાર સાથે આવું કરવા તૈયાર છે?”

નોંધનીય છે કે વાયએસઆર કોંગ્રેસ સરકાર દરમિયાન તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે ઘીનો કોન્ટ્રાક્ટ એક ખાનગી કોન્ટ્રાક્ટરને આપ્યો હતો અને નંદિની બ્રાન્ડ સાથેનો કરાર તોડી નાખ્યો હતો. નંદિની બ્રાન્ડ ઘીનું ઉત્પાદન કર્ણાટક મિલ્ક ફેડરેશન દ્વારા કરવામાં આવે છે.

જોકે, સપ્લાયર બદલ્યા બાદ તિરુપતિ મંદિરમાં ઘીની ગુણવત્તા અંગે અનેક ફરિયાદો ઉઠી હતી. ભક્તોએ લાડુમાં ખામી હોવાની ફરિયાદ પણ કરી હતી. 29 ઓગસ્ટના રોજ, આંધ્રપ્રદેશની એનડીએ સરકારે ફરી એકવાર કર્ણાટક મિલ્ક ફેડરેશન સાથે ઘી માટે કરાર કર્યો હતો.

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…