સરકારી કર્મચારીઓને ભેટ; કેન્દ્ર સરકારે UPS અંગે જાહેર કર્યું નોટિફિકેશન
![modi government increases dearness allowance for pensioners](/wp-content/uploads/2024/10/modi-governments-diwali-gift-to-pensioners-780x470.jpg)
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે યુનિફાઇડ પેન્શન સ્કીમ એટલે કે UPS અંગે એક મોટી જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું છે. સરકારના નોટિફિકેશન અનુસાર આ યોજના 1 એપ્રિલ, 2025 થી અમલમાં આવશે. આ નવી યોજના જે જૂની પેન્શન યોજના (OPS) અને રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ (NPS)ના પાસાઓને જોડીને બનાવવામાં આવી છે, તેનો હેતુ કર્મચારીઓને ગેરંટીકૃત પેન્શન પૂરું પાડવાનો છે.
યુનિફાઇડ પેન્શન યોજના એવા કેન્દ્રીય કર્મચારીઓને લાગુ પડશે જેઓ પહેલાથી જ નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) માં નોંધાયેલા છે. જોકે, આ યોજના ફક્ત તે કર્મચારીઓ માટે જ ઉપલબ્ધ રહેશે જેઓ સૂચનામાં ઉલ્લેખિત ચોક્કસ માપદંડોને પૂર્ણ કરે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે કર્મચારીઓએ ઓછામાં ઓછા 10 વર્ષની સેવા પૂર્ણ કરવી આવશ્યક છે.
આ પણ વાંચો: મોદી સરકારની કર્મચારીઓને ભેટ: યુનિફાઇડ પેન્શન સ્કીમને કેન્દ્રની મંજૂરી
ઓછામાં ઓછા 10 વર્ષ કામ કર્યા બાદ નિવૃત્ત થનારા કર્મચારીઓને નિવૃત્તિની તારીખથી ખાતરીપૂર્ણ પેન્શન મળશે. સરકાર દ્વારા FR 56(j) હેઠળ નિવૃત્ત થયેલા કર્મચારીઓને પણ તેમની નિવૃત્તિની તારીખથી પેન્શન ચૂકવવામાં આવશે. યુનિફાઇડ પેન્શન યોજના એવા કેન્દ્રીય કર્મચારીઓને લાગુ પડશે જેઓ પહેલાથી જ નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) માં નોંધણી પામેલા છે. આ યોજનાનો લાભ મેળવવા માટે કર્મચારીઓએ ઓછામાં ઓછા 10 વર્ષની સેવા પૂર્ણ કરવી આવશ્યક છે.
આ ઉપરાંત, જે કર્મચારીઓ 25 વર્ષની સેવા પછી સ્વૈચ્છિક નિવૃત્તિ લે છે તેમને તેમની નિવૃત્તિની તારીખથી પેન્શન આપવામાં આવશે. આ યોજનાનો લાભ એવા કર્મચારીઓને નહીં મળે જેમને નોકરીમાંથી બરખાસ્ત કરવામાં આવ્યા છે અથવા દૂર કરવામાં આવ્યા છે. આવા કિસ્સાઓમાં, તેમની પાસે UPS પસંદ કરવાનો કોઈ વિકલ્પ રહેશે નહીં.