નેશનલ

મોદી સરકારની ખેડૂતોને મોટી ભેટઃ ખરીફ પાક પર એમએસપી વધારી…

નવી દિલ્હીઃ કેન્દ્રીય કેબિનેટ (Central Cabinet Meeting)ની આજે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પાંચ મહત્વની નિર્ણયો લેવામાં આવ્યાં છે. કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવ (Union Minister Ashwini Vaishnav) દ્વારા આ નિર્ણયો અંગે વિગતો શેર કરવામાં આવી હતી. આ નિર્ણયોમાં ખેડૂતોને વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ખેડૂતોને પ્રાથમિકતા આપતા ખરીફ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) હેઠળ 2,07,000 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. ખેડૂતોને ભેટ તરીકે, સરકારે MSP (Minimum support price)માં 50 ટકાનો વધારો કર્યો છે. છેલ્લા 10 વર્ષમાં ખરીફ પાકો માટે એમએસપીમાં ખૂબ જ વધારો કરવામાં આવ્યો છે. ખરીફ માર્કેટિંગ સીઝન 2025-26 (Kharif marketing season 2025-26) માટે MSP ને મંત્રીમંડળે મંજૂરી આપી છે. ચાલો જોઈએ કેબિનેટ દ્વારા લેવામાં આવેલા પાંચ મહત્વના નિર્ણયો વિશે…

PTI
  1. ખરીફ પાકો માટે MSPમાં વધારો કરવામાં આવ્યો

વડાપ્રધાનની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં ખરીફ પાકો માટે MSPમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિગતે વાત કરવામાં આવે તો, કેબિનેટ કમિટી ઓન ઇકોનોમીઝ (CCEA – Cabinet Committee on Economic Affairs) દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, 2025-26 ખરીફ માર્કેટિંગ સીઝન માટે ડાંગરના લઘુત્તમ ટેકાના ભાવમાં 3 ટકાનો વધારો કરીને 2,369 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યો છે. આ સાથે 2025-26 (જુલાઈ-જૂન) ની ખરીફ સીઝન માટે સામાન્ય અને A ગ્રેડ ડાંગરની જાતોના ટેકાના ભાવમાં 69 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કરીને 2,369 રૂપિયા અને 2,389 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યો છે.

  1. વ્યાજ સબસિડી યોજનાને મંજૂરી આપવામાં આવી

કેન્દ્રીય પ્રધાનમંડળ દ્વારા આ બેઠક દરમિયાન વ્યાજ સબસિડી યોજનાને મંજૂરી આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કિશાન ક્રેડિટ કાર્ય યોજનાની શરૂઆત અટલ બિહારી વાજપેયી દ્વારા કરવામાં આવી હતી. જેના કારણે ખેડૂતો માટે મૂડી મેળવવાનું ખૂબ સરળ બન્યું છે. હવે તેમાં વ્યાજ સબસિડી યોજના દ્વારા કાર્યકારી મૂડીનો ખર્ચમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આંકડાની વાત કરવામાં આવે તો, 4% વ્યાજે 2 લાખ રૂપિયા સુધીની લોન/મૂડી સુરક્ષા પૂરી પાડવાનો વિચાર કરવામાં આવ્યોછે.

  1. રતલામ-નાગડા રેલ્વે લાઇન પ્રોજેક્ટ

કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવ દ્વારા અન્ય નિર્ણય અંગે વાત કરતા જણાવ્યું હતું કે, રતલામ-નાગડા રેલ્વે લાઇન પ્રોજેક્ટમાં રતલામ-નાગડા રેલ્વે લાઇનને ચાર લાઇનમાં રૂપાંતરિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ કારણ કે તે દિલ્હી-મુંબઈ કોરિડોરને જોડવામાં આવશે. મધ્યપ્રદેશમાં આ રતલામ જંકશન ચારેય દિશાઓના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ છે.

  1. વર્ધા-બલ્લારશાહ રેલ્વે લાઇન પ્રોજેક્ટને મંજૂરી

આ બેઠક દરમિયાન વર્ધા-બલ્લારશાહ રેલ્વે લાઇન પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. જેમાં વર્ધા-બલ્લારશાહ રેલ્વે લાઇનને હવે ચાર લાઈનામાં વિસ્તાર કરવામાં આવશે. વર્ધા-બલ્લારશાહ રેલ્વે લાઇન દિલ્હી અને ચૈન્નાઈને જોડે છે. અહીં ટ્રેનોનો અવર જવર વધારે હોવાથી આ લાઈને હવે ચાર લાઈનમાં વિસ્તાર કરવામાં આવશે. આ પ્રોજેક્ટ 135 કિમી લાંબો છે અને તેમાં રૂપિયા 2,381 કરોડનું રોકાણ કરવામાં આવશે,

  1. આ ત્રણ પ્રોજેક્ટને મળી મળી મંજૂરી

કેન્દ્રીય પ્રધાનમંડળ દ્વારા અન્ય ત્રણ યોજવાનાઓને મંજૂરી આપી દેવામાં આવી છે. જેમાં આંધ્રપ્રદેશમાં 4-લેન બડવેલ-નેલ્લોર હાઇવે, મહારાષ્ટ્રમાં 135 કિલોમીટર લાંબી વર્ધા-બલ્લારશાહ રેલ્વે લાઇન અને મધ્યપ્રદેશમાં 41 કિલોમીટર લાંબી રતલામ-નાગડા રેલ્વે લાઇનને પહોળી કરવાની યોજનાઓનો સમાવેશ થાય છે. એટલું જ નહીં પરંતુ બડવેલ-નેલ્લોર હાઈવે, જે NH-67નો ભાગને રૂપિયા 3,653 કરોડના ખર્ચે 20 વર્ષમાં BOT મોડલ પર તૈયાર કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button