નેપાળમાં બસ અકસ્માત: ૧૨નાં મોત | મુંબઈ સમાચાર
નેશનલ

નેપાળમાં બસ અકસ્માત: ૧૨નાં મોત

કાઠમાંડૂૃ : નેપાળના લુમ્બિની પ્રાંતમાં બે ભારતીય સહિત ૧૨ પ્રવાસીનાં બસ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. શુક્રવારે મોડી રાતે એક પ્રવાસીબસ ભાગલુબાગમાં પુલ પરથી રાપ્તી નદીમાં ખાબકી હતી. બસ નેપાલગંજથી કાઠમંડૂ જઈ રહી હતી. ધ કાઠમંડૂ પોસ્ટના એક અહેવાલ અનુસાર રાપ્તી નદીમાં બસ પડી જતા ૧૨ પ્રવાસીનાં મૃત્યુ થયાં હતાં ૨૩ પ્રવાસીને ઈજા થઈ હતી જેમને
કોહલપુર સ્થિત નેપાલગંજ મેડિકલ ટીચિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ડેપ્યુટી ઈન્સ્પેકટર ઓફ પોલીસ સુંદર તિવારીએ કહ્યુ હતું કે અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. બસડ્રાઈવર લાલબહાદુર નેપાલીને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button