દિલ્હી અને પંજાબની સરકારને પાડવાંની bjpની ચાલ ઊંધી પડી : અરવિંદ કેજરીવાલ

નવી દિલ્હી : કથિત દારૂ કૌભાંડના આરોપમાં દોઢેક મહિનાથી જેલમાં રહેલ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ વચગાળાના જામીન પર છૂટયા છે. તેરે તેમણે પ્રથમ વખત તેમના સત્તાવાર નિવાસસ્થાન પર વિધાનસભ્યો સાથે મુલાકાત કરી હતી. ત્યાં તેમણે સત્તાધારી પાર્ટી ભાજપ પર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે પંજાબ અને દિલ્હીમાં સરકારને પછાડવાની તેમની ચાલ નિષ્ફળ નીવડી હતી. તેમણે કહ્યું હતું કે ‘તેઓ અમારી સરકાર તો ન પાડી શક્યા પરંતુ અમારા વિધાનસભ્યોને પણ ન તોડી શક્યા.
આરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે તિહાડ જેલમાં રહીને પણ તે જેલના કર્મચારીઓ અને સુરક્ષાકર્મીઓ પાસેથી દરેકની માહિતી લેતા હતા. તેઓ તેમને તમામ ધારાસભ્યો વિશે જણાવતા હતા. તેમણે કહ્યું કે તેમની ગેરહાજરીમાં ધારાસભ્યોએ સારું કામ કર્યું. સીએમએ કહ્યું કે તેમની પત્ની સુનિત કેજરીવાલ, દિલ્હીના મંત્રીઓ સૌરભ ભારદ્વાજ અને આતિશી અને પંજાબના સીએમ ભગવંત માન જેલમાં તેમની મુલાકાત લેતા હતા. તે તેમને દિલ્હીમાં ચાલી રહેલા વિવિધ કામો વિશે પણ માહિતી લેતો રહેતો હતો.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે મારી ધરપકડ પહેલા ભાજપના સભ્યો મને મળતા હતા. તેણે મને કહ્યું હતું કે મારી ધરપકડ પછી તેઓ અમારી પાર્ટીને તોડી નાખશે, દિલ્હી સરકારને ઉથલાવી દેશે અને કોઈપણ રીતે AAPના ધારાસભ્યો અને ભગવંત માનને પોતાના પક્ષમાં લઈ લેશે, પરંતુ હકીકતમાં તેનાથી વિપરીત થયું. મારી ધરપકડ બાદ અમારી પાર્ટી પહેલા કરતા વધુ એક થઈ ગઈ. કેજરીવાલે ધારાસભ્યોને કહ્યું કે તેમને 2 જૂને પાછા જેલમાં જવું પડશે. આ સમયગાળા દરમિયાન, ધારાસભ્યોએ પાર્ટીનું ધ્યાન રાખવું પડશે.