
નવી દિલ્હી: આજે 6 એપ્રિલનાં રોજ ભારતીય જનતા પાર્ટીનો 46મો સ્થાપના દિવસ (BJP Foundation Day) છે. 1980માં ભાજપને જનસંઘથી ભાજપ તરીકેની ઓળખ મળી હતી. ભાજપના 46મા સ્થાપના દિવસની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ભાજપનાં સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી હતી. ભાજપે તેના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં જનસંઘથી ભાજપ સુધીની વિકાસ યાત્રા દર્શાવી છે.
વડા પ્રધાન મોદીએ પાઠવી શુભકામનાઓ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લખ્યું – ‘બધા ભાજપ કાર્યકર્તાઓને પાર્ટીના સ્થાપના દિવસની શુભકામનાઓ.’ છેલ્લા કેટલાક દાયકાઓમાં આપણા પક્ષને મજબૂત બનાવવા માટે પોતાને સમર્પિત કરનારા બધાને આપણે યાદ કરીએ છીએ. આ મહત્વપૂર્ણ દિવસ આપણને ભારતની પ્રગતિ અને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે આપણી અપ્રતિમ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરાવે છે.
Greetings to all @BJP4India Karyakartas on the Party’s Sthapana Diwas. We recall all those who devoted themselves to strengthening our Party over the last several decades. This important day makes us reiterate our unparalleled commitment to work towards India’s progress and…
— Narendra Modi (@narendramodi) April 6, 2025
ભારતની પ્રજા સુશાસનનાં એજન્ડાને જોઇ રહી છે
પીએમ મોદીએ આગળ લખ્યું- ભારતના લોકો આપણી પાર્ટીના સુશાસનના એજન્ડાને જોઈ રહ્યા છે, જે છેલ્લા વર્ષોમાં આપણને મળેલા ઐતિહાસિક જનાદેશમાં પણ પ્રતિબિંબિત થાય છે, તે લોકસભાની ચૂંટણી હોય, વિવિધ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી હોય કે દેશભરમાં વિવિધ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ હોય. આપણી સરકારો સમાજની સેવા કરવાનું ચાલુ રાખશે અને સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરશે.
કાર્યકરો આપણી પાર્ટીની કરોડરજ્જુ
વડા પ્રધાને કાર્યકરોની મહેનતની પ્રશંસા કરતા લખ્યું – ‘આપણા બધા મહેનતુ કાર્યકરો, આપણી પાર્ટીની કરોડરજ્જુ છે, જેઓ જમીન પર સક્રિય રીતે કામ કરે છે અને અમારા સુશાસન એજન્ડાને વિસ્તારે કરે છે, તેમને મારી શુભકામનાઓ. મને ગર્વ છે કે અમારા કાર્યકરો દેશના દરેક ભાગમાં 24 કલાક કામ કરી રહ્યા છે અને ગરીબો, દલિતો અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોની સેવા કરી રહ્યા છે. તેમની ઉર્જા અને ઉત્સાહ ખરેખર પ્રેરણાદાયક છે.
આપણવાંચો: અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામા મોટા કૌભાંડની આશંકા, બનાવટી પઝેશન લેટર આપ્યાની ફરિયાદો
સુરતમાં પણ ભાજપ સ્થાપના દિવસની ઉજવણી
ભાજપના ગઢ ગણાતા ગુજરાતમાં પણ ભાજપ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સુરતમાં ભાજપ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને તેમાં કેન્દ્રીય પ્રધાન અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ટ્વીટર પરની પોસ્ટમા કહ્યું હતું કે, સેવા, સંગઠન અને દૃઢ નિશ્ચયના માર્ગે આગળ વધી રહેલી ભારતીય જનતા પાર્ટીએ આજે કરોડો દેશવાસીઓના વિશ્વાસ અને આશીર્વાદથી વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. આ તે બધા સમર્પિત કાર્યકરોને યાદ કરવાનો પ્રસંગ છે જેમણે પોતાની તપસ્યા, બલિદાન અને સખત મહેનતથી આ સંગઠનના વડવૃક્ષનું પાલન-પોષણ કર્યું છે.