નેશનલ

લોકસભાની ચૂંટણી મુદ્દે કોંગ્રેસ પ્રમુખના નિવેદનને ભાજપે વખોડ્યુંઃ ખડગેને આપ્યો આ જવાબ

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે એક રેલી દરમિયાન આશંકા વ્યક્ત કરી હતી કે 2024ની લોકસભા ચૂંટણી લોકો માટે લોકશાહીને બચાવવાની છેલ્લી તક હશે. ભાજપના નેતા સુધાંશુ ત્રિવેદીએ પલટવાર કરતા કહ્યું કે કોંગ્રેસ ગભરામણમાં પાયાવિહોણા નિવેદનો આપી રહી છે. ખડગેજીનું નિવેદન નિંદનીય છે. ઉત્તરથી દક્ષિણ સુધી, લોકો લોકસભાની ચૂંટણીમાં વંશવાદને નકારી રહ્યા છે, ભારતમાં ખરેખર જનશક્તિ પ્રબળ બની છે. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે ભાજપ આગામી ચૂંટણી જીતશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાનાશાહ બની જશે.

સુધાંશુ ત્રિવેદીએ પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે, “કોંગ્રેસના પ્રથમ વડાપ્રધાન શૂન્ય મત મેળવીને વડાપ્રધાન બન્યા હતા. સરદાર પટેલને તમામ મત મળ્યા હતા, પરંતુ પંડિત જવાહર લાલ નેહરુ વડાપ્રધાન બન્યા હતા. મનમોહન સિંહે પ્રણવ મુખર્જીને કહ્યું હતું કે મેડમ મને વડાપ્રધાન બનવા માટે કહે છે. વડા પ્રધાન તરીકે માત્ર બે વડા પ્રધાનો ચૂંટાઈને આવ્યા છે. પ્રથમ અટલ બિહારી વાજપેયી અને બીજા નરેન્દ્ર મોદી. આ સિવાય જનતા દ્વારા કોઈ ચૂંટાયેલું નથી.”


તેમણે કહ્યું કે લોકશાહીનો ઉપદેશ આપનારા કોંગ્રેસી નેતાઓ કદાચ એ ભૂલી ગયા કે રાજીવ ગાંધીના સમયમાં જ્યારે એક અખબારે તેમની વિરુદ્ધ કંઈક લખ્યું ત્યારે તેમની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો અને સંસ્થાનું વીજ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યું. ટેલિગ્રાફ એક્ટ કોણ લાવ્યા? રાજીવ ગાંધીના સમયમાં જ ટેલિગ્રાફ એક્ટ ઘડવામાં આવ્યો હતો, જેના હેઠળ સરકાર સામાન્ય લોકોના પત્રો વાંચી શકતી હતી અને પગલાં લઈ શકતી હતી. પીવી નરસિમ્હા રાવે પૈસા આપીને સરકાર બનાવી હતી, તે કોર્ટમાં સાબિત થયું. ઈન્દિરા ગાંધીએ લોકસભાનો કાર્યકાળ લંબાવ્યો હતો.
સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે, “MISA કાયદો કોણ લાવ્યો? ઇન્દિરા ગાંધીની નિરંકુશ સરકારે તેનો ઉપયોગ તેના રાજકીય વિરોધીઓને કચડી નાખવા માટે કર્યો હતો. લાલુએ તેમની પુત્રીનું નામ મીસા રાખ્યું હતું અને તે સમયે મેં કહ્યું હતું કે હું કોંગ્રેસને જડમૂળથી ઉખેડી નાખીશ. કોંગ્રેસના નેતા દેવકાંત બરુવાએ કહ્યું હતું કે ‘ઇન્ડિયા ઈઝ ઈન્દિરા, ઈન્દિરા ઈઝ ઈન્ડિયા’ અને આજ સુધી આ નારા માટે માગી નથી.”


સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે વડા પ્રધાન મોદીની સત્તામાં દરેકને ન્યાય મળી રહ્યો છે. શાહ બાનો કેસમાં શરિયાને સર્વોચ્ચ અદાલતથી ઉપર મૂકવામાં આવી છે, તે ધર્મનિરપેક્ષ રાજ્ય છે? કોંગ્રેસ ગુલામીની માનસિકતાનું પ્રતિનિધિત્વ કરે છે. અંગ્રેજોની ગુલામીની માનસિકતા કોંગ્રેસીઓમાં હજુ પણ છે. આપણને ગુલામીની માનસિકતામાંથી મુક્ત કરવાનું કામ મોદી સરકારે કર્યું છે. કોંગ્રેસ અને કોંગ્રેસના કુળ પક્ષોની સત્તાનો અંત આવી રહ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બે દિવસ બાદ આ રાશિઓ બનશે અમીર, શનિની રહેશે કૃપા દ્રષ્ટિ… તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…