નેશનલ

Biharમાં એક પછી એક બ્રિજ તૂટી પડવાની ઘટના પહોંચી સુપ્રીમ કોર્ટ


પટણાઃ બિહારમાં છેલ્લા કેટલાક દિવસોમાં બ્રિજ ધરાશાયી થવાની અનેક ઘટનાઓ સામે આવી છે. બિહારમાં બ્રિજ તૂટી પડવાનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં (Supreme court) પહોંચ્યો છે. હવે આ મામલે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ પીઆઈએલમાં, અદાલતને તાજેતરના ભૂતકાળમાં બિહારમાં મોટા અને નાના બ્રિજના સરકારી બાંધકામનું સ્ટ્રક્ચરલ ઑડિટ કરવાનો આદેશ આપવા વિનંતી કરવામાં આવી છે. આ સાથે નબળા બાંધકામો તોડી પાડવા અથવા પુનઃનિર્માણ કરવા સૂચના આપવા પણ માંગણી કરવામાં આવી છે. બુધવારે પણ બિહારમાં એક જ દિવસમાં વધુ ચાર બ્રિજ ધરાશાયી થવાના મામલા સામે આવ્યા હતા.

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી પીઆઈએલમાં કહેવામાં આવ્યું છે કે બિહારમાં બ્રિજની સુરક્ષા માટે કમિટી જેવી સ્થાયી સંસ્થાની રચના કરવામાં આવે. આ અરજી બ્રિજેશ કુમારે દાખલ કરી છે. તેમની અરજીમાં તેમણે છેલ્લા બે વર્ષમાં 12 બ્રિજ તૂટી પડવાની અને ધોવાઈ જવાની ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે. બ્રિજેશ કુમારની અરજીમાં જણાવાયું છે કે છેલ્લા બે વર્ષમાં બે મોટા બ્રિજ અને ઘણા નાના પુલ નિર્માણાધીન અથવા બાંધકામ પછી તુરંત જ તૂટી જવાની, ધરાશાયી થવાની અને ધોવાઈ જવાની ઘટનાઓ બની છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે બિહાર પૂર પ્રભાવિત રાજ્ય છે. અહીંની 73.6 ટકા જમીન ભયંકર પૂર માટે સંવેદનશીલ છે. આવી સ્થિતિમાં બ્રિજ ધરાશાયી થવાની ઘટનાઓ અનેક રીતે ચિંતા વધારી રહી છે.

બિહારમાં અલગ-અલગ જિલ્લાઓમાં છેલ્લા કેટલાક સમયથી બ્રિજ તૂટી પડવાની પ્રક્રિયા સતત ચાલી રહી છે. બુધવારે માત્ર એક જ દિવસમાં રાજ્યમાં વધુ ચાર બ્રિજ ધરાશાયી થયા હતા. સારણ જિલ્લામાં ગંડકી નદી પરના બે બ્રિજ તૂટી પડ્યા, જ્યારે સિવાનમાં એક બ્રિજ પણ તૂટી પડ્યો. મહારાજગંજમાં પણ બ્રિજ તૂટી પડવાની ઘટના સામે આવી છે. વિપક્ષના નેતા તેજસ્વી યાદવે રાજ્યમાં બ્રિજ તૂટી જવાની સતત ઘટનાઓને લઈને નીતિશ સરકાર પર નિશાન સાધ્યું હતું.

બિહારમાં સતત તૂટી પડવાની અને બ્રિજને નુકસાન થવાની ઘટનાઓ બાદ સરકાર સતર્ક થઈ ગઈ છે. રૂરલ વર્કસ વિભાગ માર્ગ બાંધકામ વિભાગની જેમ બ્રિજની જાળવણી માટે મેન્ટેનન્સ પોલિસી બનાવશે. બુધવારે મુખ્યમંત્રી નીતિશ કુમારે આ અંગે અધિકારીઓને સૂચના આપી છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે બુધવારે રસ્તા અને બ્રિજની જાળવણી અંગે સમીક્ષા બેઠક યોજી હતી.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા