નેશનલ

Bengal train accident: તપાસમાં ગુડ્ઝ ટ્રેનના ક્રૂની બેદરકારી બહાર આવી, ટ્રેન ઓપરેટિંગ સિસ્ટમ પર ઉભા થયા પ્રશ્નો

પશ્ચિમ બંગાળમાં કાંચનજંગા એક્સપ્રેસ અકસ્માતની પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે ગુડ્ઝ ટ્રેનના ક્રૂ અને જલપાઈગુડી ડિવિઝનના ઓપરેશન વિભાગની બેદરકારીને કારણે આ અકસ્માત થયો હતો. સોમવારે દાર્જિલિંગ જિલ્લાના ફણસીદેવા વિસ્તારમાં એક ગુડ્ઝ ટ્રેને પાછળથી કાંચનજંગા એક્સપ્રેસને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા. માર્યા ગયેલાઓમાં પેસેન્જર ટ્રેનનો ગાર્ડ અને ગુડ્સ ટ્રેનનો ડ્રાઈવર પણ સામેલ છે.

તપાસ સમિતિના મોટાભાગના સભ્યોનું માનવું છે કે માલસામાન ટ્રેનના ડ્રાઈવરે નિયમોનું પાલન ન કર્યું અને જોખમી રીતે ઓટોમેટિક સિગ્નલ પાર કર્યું. તેમજ ટ્રેનની સ્પીડ નિયમ કરતા વધુ હતી જેના કારણે બંને ટ્રેનો અથડાઈ હતી. કંચનજંગા એક્સપ્રેસ સવારે 8:27 વાગ્યે રાણીપાત્રા સ્ટેશનથી નીકળી હતી અને સિગ્નલની નિષ્ફળતાને કારણે તેને T/A 912 અને T369 ફોર્મ આપવામાં આવ્યા હતા. T/A 912 ફોર્મ જારી કરવાનો અર્થ એ છે કે ટ્રેન તમામ લાલ સિગ્નલો પાર કરી શકે છે.

આ પણ વાંચો : Train Accident: પશ્ચિમ બંગાળના ટ્રેન અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 15 થયો, મૃતકના પરિજનોને 10 લાખના વળતરની જાહેરાત

બીજી તરફ, ફોર્મ T369 જારી કરવાનો અર્થ એ છે કે ટ્રેન તરત જ બે સિગ્નલ પાર કરી શકે છે, પરંતુ તેની ઝડપ 15 KM પ્રતિ કલાક સુધી હોવી જોઈએ. માત્ર 15 મિનિટના અંતરાલમાં આ બંને ફોર્મ ગુડ્સ ડ્રેનને પણ આપવામાં આવ્યા હતા. ત્યાર બાદ કાંચનજંગા એક્સપ્રેસને ખામીયુક્ત સિગ્નલ પર રોકી દેવામાં આવી હતી. તે સમયે ગુડ્સ ટ્રેન પાછળથી આવી અને તેને ટક્કર મારી હતી. અથડામણને કારણે કંચનજંગા એક્સપ્રેસના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં પેસેન્જર ટ્રેનના પાંચ ડબ્બા અને ગુડ્સ ટ્રેનના 11 ડબ્બા પ્રભાવિત થયા હતા. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે અને 50થી વધુ લોકો ઘાયલ થયા છે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker