નેશનલ

Bahraichમાં માતાએ વરુ સામે ઝઝૂમી બાળકનો જીવ બચાવ્યો

બહરાઈચ: ઉત્તર પ્રદેશના બહરાઈચમાં(Bahraich) વરુનો આતંક  યથાવત છે. જ્યારે મહસી તાલુકાના સિંઘિયા નસીરપુર ગામની એક મહિલાએ પોતાના બાળકનો જીવ બચાવવા માટે વન્યજીવો સાથે ઝઝૂમી હતી આ મહિલાએ તેના બાળકને તેની પીઠ પર બાંધી દીધું અને તે જંગલી પ્રાણીના તમામ હુમલાઓ સહન કર્યા. આ મહિલાની સારવાર બહરાઈચની જિલ્લા હોસ્પિટલમાં ચાલી રહી છે. જો કે  લોકો તેને વરુનો હુમલો ગણાવી રહ્યા છે, જ્યારે વન વિભાગનું કહેવું છે કે તે તેની તપાસ કરી રહ્યું છે.

હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહી છે

28 વર્ષની ગુડિયાની આ સાહસભરી વાત સાંભળે છે અને કહે છે  કે ગુડિયાએ તેના બાળકને બચાવવા માટે જે કર્યું તે માત્ર માતા જ કરી શકે છે. રડતાં રડતાં આ મહિલાએ કહ્યું કે કેવી રીતે તે સમયે તેણે આ હિંમત કરી હતી. આ ઘાયલ મહિલા હજુ પણ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહી છે.

વરુ નહીં તો કોણે હુમલો કર્યો?

એક તરફ ગુડિયા જેવી માતાની કહાની હ્રદયદ્રાવક છે તો બીજી તરફ વન વિભાગની પોતાની દલીલો છે. વન વિભાગે મહસી તાલુકામાં એક જ રાત્રે ત્રણ લોકો પર જંગલી પ્રાણીઓના હુમલા અંગે નિવેદન જાહેર કરતા કહ્યું કે આ હુમલો કોઈ વરુ દ્વારા થયો હોય તેવું લાગતું નથી. કારણ કે સ્થળ પર વરુના કોઈ નિશાન મળ્યા નથી. જો કે આ હુમલો વરુએ કર્યો હોવાની ગ્રામજનો કહી રહ્યા છે. ગ્રામજનો કહે છે કે આટલા ભારે વરસાદમાં વરુના પગના નિશાન કેવી રીતે મળી શકે?

વન વિભાગ કૂતરાનો હુમલો ગણાવે છે

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ જંગલી પ્રાણીઓના હુમલામાં ઘાયલ થયેલા ત્રણ પીડિતોને જિલ્લા હોસ્પિટલના વરુ વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી છે. તેના અહેવાલમાં, CHC એ ઈજાને વન્યજીવોના હુમલાના પરિણામે ગણાવી છે. સન્માન પૂર્વામાં બનેલી આ ઘટનામાં વન વિભાગ કૂતરાનો હુમલો ગણાવે છે.

એક વરુને પકડવાના પ્રયાસ

બીજી તરફ વન વિભાગે જણાવ્યું કે આ વિસ્તારમાં કૂતરા અને શિયાળના પગના નિશાન મળી આવ્યા છે. વન વિભાગનું કહેવું છે કે મહસીમાં શિયાળ અને કૂતરાઓની સંખ્યા વધુ છે. વન વિભાગે જણાવ્યું કે આ વિસ્તારમાંથી 5 વરુ પકડાયા બાદ હવે ત્યાં માત્ર એક વરુને પકડવાના પ્રયાસ ચાલી રહ્યા છે. ગ્રામજનો જંગલી પ્રાણીઓને ઓળખવામાં કુશળ નથી અને તેથી જ તેઓ તેને વરુનો હુમલો ગણાવી રહ્યા છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત