નેશનલ

ઉત્તર પ્રદેશના બરેલીમાં નમાજ બાદ બબાલ

બરેલી: ઉત્તર પ્રદેશના બરેલીમાં શુક્રવારે જુમાની નમાજ બાદ બબાલ થઇ હતી. મૌલાના તૌકીર રજાના કહેવાથી ઇસ્લામિયા ગ્રાઉન્ડમાં પહોંચેલી ભીડે પાછા ફરતા સમયે અચાનક તોફાન શરૂ કર્યું હતું. આ દરમિયાન બદમાશોએ બે યુવકોને પકડી લીધા અને તેમને ખૂબ માર માર્યો હતો. આ પછી એક બાઇકને પણ નુકસાન પણ પહોંચાડ્યું હતું. તોફાન વધતા પોલીસે સ્થિતિ બેકાબૂ ભીડને કાબૂમાં લીધી હતી.

જ્ઞાનવાપી કેસમાં કોર્ટના ચુકાદાથી નારાજ આઇએમએસીના વડા મૌલાના તૌકીર રઝાએ શુક્રવારની નમાજ બાદ જેલ ભરો આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી હતી. મૌલાનાની ધરપકડના સમર્થનમાં શહેરના ઇસ્લામિયા ગ્રાઉન્ડ ખાતે સેંકડો લોકો એકઠા થયા હતા. નમાજ બાદ પોલીસે મૌલાનાને તેના ઘરે મોકલી દીધા હતા. મૌલાના તેમના ઘરે ગયા હોવાના સમાચાર સાંભળીને ઈસ્લામિયા ગ્રાઉન્ડથી પણ ટોળું પાછું આવી ગયું હતું. ભીડ શ્યામંજ વિસ્તારમાં પહોંચતા જ ભારે હોબાળો શરૂ થઈ ગયો હતો. મૌલાના આઝાદ ઈન્ટર કોલેજની સામે બાઇક પર સવાર
બે યુવકો કમલ શર્મા અને સમીર સાગરને તોફાની તત્ત્વોએ માર માર્યો હતો અને તેમની બાઇક તોડી નાખી હતી. આ પછી ત્યાં પથ્થરમારો શરૂ થયો હતો. ઘટનાની જાણ થતા શ્યામગંજ ઈન્ટરસેક્શન પર હાજર પોલીસ ફોર્સે ચાર્જ સંભાળ્યો હતો. આ પછી આરોપી ત્યાંથી ભાગી ગયો હતો.

મૌલાના તૌકીર રઝાની બિહારીપુર પોલીસ ચોકી નજીકથી ધરપકડ કરવામાં આવી હતી. આ પછી પોલીસે તેને તરત જ છોડી દીધા હતા. મુક્ત થયા બાદ મૌલાના પોતાના ઘરે ગયા હતા. નોંધનીય છે કે જ્ઞાનવાપી મામલે નારાજ મૌલાનાએ જેલ ભરો આંદોલન શરૂ કર્યું હતું. શુક્રવારે બપોરે જીઆઈસી ઓડિટોરિયમ સામેની મસ્જિદમાં નમાઝ અદા કર્યા બાદ તેઓ ધરપકડ વહોરવા માટે બહાર આવ્યા હતા. તેમને ઈસ્લામિયા મેદાનમાં જતા અટકાવવામાં આવ્યા હતા. દરમિયાન પોલીસ સાથે મૌલાના અને તેમના સમર્થકોની અથડામણ થઈ હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા