નેશનલ

Ram Mandir: ‘….વડા પ્રધાન મોદી મોટી ભૂલ કરવા જઈ રહ્યા છે’ શંકરાચાર્યએ આપી ચેતવણી

અયોધ્યામાં રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાબતે દેશમાં ઉજવણીનો માહોલ છે. એવામાં શંકરાચાર્ય આ મહોત્સવમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી અને સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીનું કહેવું છે કે રામ મંદિરના ઉદ્ઘાટનમાં શાસ્ત્રીય પદ્ધતિનું પાલન કરવામાં આવી રહ્યું નથી.
પુરીની ગોવર્ધન પીઠના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ ફરી સનાતન ધર્મના નિયમોના ઉલ્લંઘનની વાત કરી છે. આ સાથે તેણે ચેતવણી પણ આપી છે કે તેમનું કોઈ કશું બગાડી નહીં શકે, તેથી તેમની સાથે અથડાવાની ભૂલ ન કરવી જોઈએ.


અહેવાલ મુજબ શંકરાચાર્યએ કહ્યું હતું કે જે પણ વ્યાસપીઠ સાથે અથડાય છે તેના ટુકડા થઈ જાય છે. સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ કહ્યું, ‘મેં અગાઉ કહ્યું હતું કે હિમાલય પર પ્રહાર કરનારની મુઠ્ઠી તૂટી જાય છે. અમારી સાથે ઘર્ષણમાં ઉતરવું યોગ્ય નથી. અમારી પાસે અબજો એટમ બોમ્બને માત્ર એક જ નજરે નાશ કરવાની ક્ષમતા છે. અમે ચૂંટણી પ્રક્રિયા દ્વારા આ પદ માટે ચૂંટાયા નથી. કોઈ અમારો વાળ પણ વાંકો ના કરી શકે.’


શંકરાચાર્યએ વધુમાં કહ્યું કે, ‘જો કોઈ આ સિંહાસન સાથે રમત રમવાનો પ્રયાસ કરશે, ભલે તે ગમે તેટલો વગદાર હોય, તે સુરક્ષિત રહી શકશે નહીં. હું જનતાને ઉશ્કેરતો નથી, પરંતુ જનતા અમારી વાતને અનુસરે છે. લોકોનો અભિપ્રાય અમારી સાથે છે, શાસ્ત્રોનો અભિપ્રાય પણ અમારી સાથે છે, ઋષિનો અભિપ્રાય પણ અમારી સાથે છે, તેથી અમે દરેક રીતે શક્તિશાળી છીએ અને કોઈએ અમને નબળા ન ગણવા જોઈએ.”


અસલી અને નકલી શંકરાચાર્યના સવાલ પર તેમણે કહ્યું કે જ્યારે વડાપ્રધાન, મુખ્ય પ્રધાન, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ નકલી નથી તો શું શંકરાચાર્યનું પદ આનાથી ઉતરતું છે? શાસકો પર રાજ કરવાની અમારી જગ્યા છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે શંકરાચાર્યએ કહ્યું કે, ‘હું તેમને ત્યારથી ઓળખું છું જ્યારે તેઓ ગુજરાતના મુખ્ય પ્રધાન હતા. પીએમ પદના શપથ લેતા પહેલા પણ તેઓ મારી પાસે આવ્યા હતા અને તેમણે કહ્યું હતું મને આશીર્વાદ આપો જેથી હું ઓછામાં ઓછી ભૂલો કરું અને હવે તેઓ પોતે જ આટલી મોટી ભૂલ કરવા જઈ રહ્યા છે.’


સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ કહ્યું કે, ‘શાસ્ત્રીય પદ્ધતિથી રામજીનું સન્માન કરવામાં આવી રહ્યું નથી, તેથી મારા માટે રામ મંદિરના ઉદ્ઘાટનમાં હાજરી આપવી યોગ્ય નથી. આમંત્રણ આવ્યું કે તમે એક વ્યક્તિ સાથે ઉદ્ઘાટનમાં આવી શકો. અમે આમંત્રણ કે કાર્યક્રમ સાથે સહમત નથી.


તેમણે કહ્યું, પ્રાણ પ્રતિષ્ઠા માટે મુહૂર્તને ધ્યાનમાં રાખવું જોઈએ. કોણે મૂર્તિને સ્પર્શ કરવો જોઈએ અને કોણે ન કરવો જોઈએ, કોણ પ્રતિષ્ઠા કરે, કોણ ન કરે તે સ્કંદ પુરાણમાં લખાયેલું છે, દેવી-દેવતાઓની મૂર્તિઓ હોય છે તેને શ્રીમદ ભાગવતમાં અરસ વિગ્રહ કહેવામાં આવે છે. તેમાં દેવતાનો મહિમા ત્યારે જ પ્રસ્થાપિત થાય છે જ્યારે તેની સ્થાપના વિધિથી થાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો