નેશનલ

પંજાબમાં આંબેડકરની પ્રતિમાને તોડવાનો પ્રયાસઃ તપાસ માટે આઠવલેએ કરી માંગણી

મુંબઈ: અમૃતસરમાં ડો. બી. આર. આંબેડકરની પ્રતિમાને તોડવાના પ્રયાસને કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ આજે વખોડી કાઢી તપાસ કરવાની માંગ કરી હતી. રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા – આરપીઆઈ (એ)ના અધ્યક્ષએ કહ્યું હતું કે પક્ષના કાર્યકરો પંજાબ અને મહારાષ્ટ્રમાં દેખાવો કરશે.

સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં આઠવલેએ આ ઘટના માટે પંજાબની ભગવંત માન સરકાર જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો હતો અને વિસ્તૃત તપાસની માગણી કરી હતી. આઠવલે બુધવારે સ્થળની મુલાકાત લેશે.

આ પણ વાંચો : ભારત બહાર ડૉ. આંબેડકરની સૌથી ઊંચી પ્રતિમાનું અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં અનાવરણ

અમૃતસરમાં બી. આર. આંબેડકરની પ્રતિમાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરનાર એક વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક વ્યક્તિ કથિત રીતે હથોડી લઈને સ્ટીલની સીડીનો ઉપયોગ કરીને પ્રતિમા પર ચઢી રહ્યો હોવાનું જોવા મળ્યું હતું.

(પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button