નેશનલ

મોહન ભાગવતને એએસએલ સુરક્ષા અને શરદ પવારને ઝેડ-પ્લસ બંને વચ્ચે શું તફાવત છે?

નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતની સુરક્ષા ઝેડ-પ્લસથી વધારીને ઝેડ-એએસએલ કરી દેવામાં આવી છે. હવે તેમની સુરક્ષા માટે વધુ વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. સાથે જ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી-એસપી)ના વડા શરદ પવારને ઝેડ-પ્લસ સુરક્ષા આપવામાં આવી છે. મોહન ભાગવત અને શરદ પવાર બંનેની સુરક્ષા શ્રેણી આમ તો ઝેડ પ્લસ જ છે, પરંતુ તેમ છતાં બંને વચ્ચે નોંધપાત્ર તફાવત છે. આવી સ્થિતિમાં પ્રશ્ર્ન એ છે કે ઝેડ-પ્લસ એસએસએલ અને ઝેડ-પ્લસ સુરક્ષા વચ્ચે શું તફાવત છે? આ બંને પ્રકારની સુરક્ષામાં કવર કેવી રીતે આપવામાં આવે છે?
ભારત સરકાર તરફથી દેશના કેટલાક માન્યવર લોકોને સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવે છે જેમાં મુખ્યત્વે એકસ, વાય, વાય-પ્લસ, ઝેડ, ઝેડ-પ્લસ શ્રેણીઓમાં ગૃહ મંત્રાલય દ્વારા સુરક્ષા આપવામાં આવે છે. આ ઉપરાંત એક એસપીજી સુરક્ષા વ્યવસ્થા છે, જે ફક્ત દેશના વડાપ્રધાનને જ મળે છે. એસપીજી એક અલગ દળ છે, જે માત્ર વડાપ્રધાનનું સંરક્ષણ કરે છે. આ પછી ઝેડ-પ્લસ વગેરે સિક્યોરિટીનો નંબર આવે છે. દરેક સિક્યોરિટીમાં વહન કરતા વાહનો વગેરેની સંખ્યા નિશ્ચિત હોય છે અને પ્રોટોકોલ સંબંધિત પ્રમાણે સુરક્ષા જવાનો અને વાહનોની વ્યવસ્થા કરવામાં આવે છે.

ઝેડ પ્લસ સિક્યોરિટી વિશે જાણકારી
ઝેડ-પ્લસ સુરક્ષાની વિશેષ શ્રેણી છે, પરંતુ તેની અંદર પણ સુરક્ષાના ઘણા પ્રકાર છે અને દરેક કેટેગરીમાં વિવિધ પ્રકારનું સંરક્ષણ આપવામાં આવે છેે. ઝેડ-પ્લસ સુરક્ષામાં ઝેડ-પ્લસ કવર, એનએસજી કવર સાથે ઝેડ-પ્લસ અને એએસએલ સુરક્ષા સાથે ઝેડ-પ્લસનો સમાવેશ થાય છે.

શું છે એએસએલ કવર-
જો આપણે એએસએલ કવર વિશે વાત કરીએ તો તે ઝેડ-પ્લસ સુરક્ષા શ્રેણીમાં સૌથી ખાસ છે. તે વડા પ્રધાનના એસપીજી કવર જેવું છે અને તેમાં કેટલાક પ્રોટોકોલ પીએમ સુરક્ષા જેવા છે. એટલે કે જે રીતે વડા પ્રધાનની સુરક્ષા માટે નિયમો છે, તે જ રીતે એએસએલ કવર ધરાવતા વ્યક્તિની સુરક્ષા માટે પણ નિયમો છે. એએસએલ (એડવાન્સ્ડ સિક્યુરિટી લાયઝન) માટે વપરાય છે. આ કવરમાં માત્ર સિક્યોરિટી ધરાવતી વ્યક્તિ જ તેની સાથે મુસાફરી કરે છે એટલું જ નહીં પરંતુ જ્યારે સિક્યોરિટી મેળવનાર વ્યક્તિ ક્યાંક જાય છે ત્યારે તેની સિક્યુરિટી સૌથી પહેલા ત્યાં જાય છે.

આ પણ વાંચો : શરદ પવારનો કેન્દ્ર સરકારને ઝટકો: ઝેડ-પ્લસ સિક્યુરિટી લેવાની ના પાડી

તેમની સુરક્ષા મુલાકાત પહેલાં સ્થળની મુલાકાત લે છે અને ત્યાં કેવા પ્રકારની વ્યવસ્થા છે તે જુએ છે અને પ્લાન તૈયાર કરે છે. જેમાં ત્યાં આવનારા લોકોની એન્ટ્રી, એક્ઝિટ અને એક્સેસ નક્કી કરવામાં આવે છે અને તે મુજબ પ્લાન તૈયાર કરવામાં આવે છે. તેમના ગમે ત્યાં પ્રવાસ માટેનો રૂટ પણ ખાસ રીતે તૈયાર કરવામાં આવે છે. આ કવર ભારતમાં માત્ર થોડા લોકો પાસે છે, જેમાં ગૃહ પ્રધાનનો સમાવેશ થાય છે. આઈબી પણ આમાં સામેલ હોય છે અને તેમની સાથે મળીને સુરક્ષા આપવામાં આવે છે.

ઝેડ-પ્લસ એનએસજી કવર શું છે
ઝેડ-પ્લસ સુરક્ષામાં એક કવર એનએસજી કવર છે. એનએસજી કવર સાથેની સુરક્ષા વ્યવસ્થામાં એનએસજી કમાન્ડોને સામેલ કરવામાં આવે છે અને વ્યક્તિને સુરક્ષા પ્રદાન કરે છે. આમાં એનએસજી કવરની જવાબદારી સુરક્ષા આપવામાં આવેલી વ્યક્તિને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની છે. એનએસજી કમાન્ડો તેમને ઘરે સુરક્ષા પૂરી પાડતી નથી અને કોઈપણ અપ્રિય ઘટનાના કિસ્સામાં પણ તેમને બચાવવાનો પ્રયાસ કરે છે.

માત્ર ઝેડ-પ્લસ સુરક્ષા શું છે?
જો આપણે ઝેડ-પ્લસ સુરક્ષાની જ વાત કરીએ તો તેમાં ઘણા જવાનો સુરક્ષા પ્રદાન કરે છે. તેમાં લગભગ 36 જવાનોને રાખવામાં આવે છે અને તેમાં ઘણા લોકોને એનએસજી કવર મળે છે અને ઘણા લોકોને સીઆરપીએફ, સીઆઈએસએફનું કવર આપવામાં આવે છે. કેટલાક લોકો પાસે તેમની ઝેડ-પ્લસ સુરક્ષામાં રાજ્ય પોલીસના જવાનોને તહેનાત કરવામાં આવે છે. ઝેડ-પ્લસ પછી ઉતરતા ક્રમે ઝેડ, વાય-પ્લસ, વાય અને એક્સ જેવી શ્રેણીઓ છે.

Show More

Related Articles

Back to top button
ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન…