નેશનલ

Arvind Kejriwal નો તિહાર જેલમાં સરેન્ડર પૂર્વે આ છે પ્લાન, ટ્વિટર પર લખી ભાવુક પોસ્ટ

નવી દિલ્હી : અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) આજે તિહાર જેલમાં સરેન્ડર કરતા પૂર્વે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક ભાવુક પોસ્ટ કરી છે. જેમાં કેજરીવાલે કહ્યું, ” માનનીય સુપ્રીમ કોર્ટના આદેશ પર હું 21 દિવસ માટે ચૂંટણી પ્રચાર માટે બહાર આવ્યો છું. માનનીય સુપ્રીમ કોર્ટનો ખૂબ ખૂબ આભાર. આજે હું તિહાર જઈશ અને આત્મસમર્પણ કરીશ. હું બપોરે 3 વાગ્યે ઘરેથી નીકળીશ. પહેલા હું રાજઘાટ જઈશ અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપીશ. ત્યાંથી હું હનુમાનજીના આશીર્વાદ લેવા કનોટ પ્લેસના હનુમાન મંદિર જઈશ અને ત્યાંથી પાર્ટી કાર્યાલય જઈશ અને તમામ કાર્યકરો અને પાર્ટીના નેતાઓને મળીશ.

હું જેલમાં તમારા બધાની ચિંતા કરીશ

ત્યાંથી હું ફરીથી તિહાર જવા રવાના થઈશ. તમે બધા તમારી સંભાળ રાખો. હું જેલમાં તમારા બધાની ચિંતા કરીશ. જો તમે ખુશ છો તો તમારા કેજરીવાલ પણ જેલમાં ખુશ હશે. જય હિન્દ!”

ધરપકડ બાદ 7 કિલો વજન ઘટ્યું

આ ઉપરાંત, દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ધરપકડ બાદ 7 કિલો વજન ઘટ્યું છે. તેમનું કીટોન લેવલ ઘણું ઊંચું છે. તેમને કોઈ ગંભીર બીમારીના લક્ષણો હોઈ શકે છે. તેની તપાસ કર્યા બાદ મેક્સ હોસ્પિટલના ડોક્ટરોએ તેને પીઈટી-સીટી સ્કેન અને અનેક ટેસ્ટ કરાવવાની સલાહ આપી છે.

સુપ્રીમ કોર્ટેનો 2 જૂને જેલમાં આત્મસમર્પણનો આદેશ

જ્યુડિશિયલ કસ્ટડી દરમિયાન કેજરીવાલને કડક સુરક્ષા હેઠળ જેલ નંબર-2માં રાખવામાં આવ્યા છે. 10 મેના રોજ સુપ્રીમ કોર્ટે કેજરીવાલને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે 21 દિવસ માટે વચગાળાના જામીન આપ્યા હતા. છેલ્લા તબક્કાનું મતદાન સમાપ્ત થયાના એક દિવસ પછી સુપ્રીમ કોર્ટે તેમને 2 જૂને ફરીથી જેલમાં આત્મસમર્પણ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ સાથે કોર્ટે કેજરીવાલ પર મુખ્યમંત્રી કાર્યાલય જવા પર પ્રતિબંધ સહિત અન્ય ઘણી શરતો પણ લગાવી હતી.

મની લોન્ડરિંગ કેસમાં FIR નોંધી હતી

નોંધનીય છે કે AAPના વડા અને દિલ્હીના સીએમ કેજરીવાલને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા 21 માર્ચ, 2024ના રોજ દિલ્હીની એક્સાઇઝ પોલિસી 2021-22 માં કથિત કૌભાંડના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. EDએ ઓગસ્ટ 2022 માં દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં FIR નોંધી હતી. કેજરીવાલે ED દ્વારા ધરપકડની કાયદેસરતાને પડકારી હતી, પરંતુ હજુ સુધી કોઈ રાહત મળી નથી.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ