નેશનલ

Arvind Kejriwal ને જામીન માટે વધુ રાહ જોવી પડશે, 14 જૂને સુનાવણી

નવી દિલ્હી : દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસમાં તિહાર જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના વડા અરવિંદ કેજરીવાલને (Arvind Kejriwal) નિયમિત જામીન માટે વધુ રાહ જોવી પડશે. રાઉઝ એવન્યુની વિશેષ અદાલતે શુક્રવારે આ કેસની સુનાવણી કરતા કેજરીવાલના નિયમિત જામીન 14 જૂન સુધી મુલતવી રાખ્યા છે.

સેશન્સ કોર્ટમાં 8 જૂનથી ઉનાળુ વેકેશન

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)વતી એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુ અને અધિક સરકારી વકીલ ઝોહૈબ હુસૈન હાજર થયા હતા. દરમિયાન વરિષ્ઠ વકીલ હરિહરને કેજરીવાલ વતી પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. હરિહરને કોર્ટને કહ્યું કે તેમને થોડા સમય પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તરફથી જવાબ મળ્યો હતો. આવા કિસ્સામાં કેસ વેકેશન જજને મોકલવો જોઈએ. દિલ્હી સેશન્સ કોર્ટમાં 8 જૂનથી ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે. કોર્ટે હવે આ કેસને 14 જૂન માટે લિસ્ટ કર્યો છે.

સીબીઆઈએ દારૂ કૌભાંડ કેસમાં પૂરક ચાર્જશીટ દાખલ કરી

આ સાથે જ સીબીઆઈએ એક્સાઈઝ કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં પૂરક ચાર્જશીટ પણ દાખલ કરી છે. સીબીઆઈએ રાઉઝ એવન્યુ કોર્ટમાં દાખલ ચાર્જશીટમાં બીઆરએસ નેતા કે. કવિતાને આરોપી બનાવવામાં આવી છે. અગાઉ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કવિતા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ચાર્જશીટની નોંધ લીધી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિજય માલ્યાની હજારો કરોડ રૂપિયાની લક્ઝરી પ્રોપર્ટીઝ એક કટોરી તુઅર દાલની કિંમત તુમ ક્યા જાનો રાહા કપૂરની જેમ જ એક્સપ્રેશન એક્સપર્ટ છે આ સ્ટારકિડ્સ… આ રાશિના જાતકો માટે લકી રહેશે July, બંને હાથે ભેગા કરશે પૈસા…