નેશનલ

અરવિંદ કેજરીવાલે આ કારણોને આગળ ધરીને વચગાળાના જામીનમાં માંગ્યો આટલા દિવસનો વધારો ….

નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (arvind kejriwal) કથિત લિકર પોલિસી કેસમાં હાલમાં જ વચગાળાના જામીન પર છૂટયા છે. તેની જામીન મુદત પૂર્ણ થાય તે પહેલા જ પોતાની વચગાળાની જામીન દિવસમાં વધારવાની માંગ કરી છે. આમ આદમી પાર્ટીના જણાવ્યા અનુસાર, મુખ્યપ્રધાન કેજરીવાલે PET-CT સ્કેન સહિત જેવા બીજા અનેક ટેસ્ટ કરાવવાના હોવાથી, અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટ (supreme court) પાસે વધારાના 7 દિવસનો સમય માંગ્યો છે.

લોકસભા ચૂંટણી દરમિયાન સુપ્રીમ કોર્ટે 1 જૂન સુધી વચગાળાની જામીન અરજીને મંજૂર કરી હતી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હી લિકર નીતિને લઈને લાગેલા કથીત આરોપ બાદ તેઓ જેલમાં છે. આ કેસને લઈને ED દ્વારા 21 માર્ચના રોજ ધરપકડ કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે કેજરીવાલને વચગાળાના જામીન આપતા કહ્યું હતું કે, “લોકસભાની ચૂંટણીને જોતાં ઉદારવાદી દ્રષ્ટિકોણ યોગ્ય છે. જેમનો કોઈ ગુનાહિત ઇતિહાસ ન હોય તેનાથી સમાજને ખતરો નથી. ભલે તેમના પર ગંભીર આરોપો હોય પરંતુ હજુ સુધી તે માત્ર આરોપી છે કોઈ દોષી નથી સાબિત થયા. કોર્ટે આ કેસને લગતા કોઈ જ સાક્ષી સાથે વાત નહીં કરવાની સૂચના કેજરીવાલને આપવામાં આવી છે.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો