નેશનલ

માફી માંગે : ભાજપ આક્રમક

નવી દિલ્હી: ભાજપે મંગળવારે રાહુલ ગાંધી પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામેના તેમના “પનૌતી મોદી શબ્દો માટે આકરા પ્રહારો કર્યા હતા અને તેની ટિપ્પણીને “નિંદનીય અને શરમજનક ગણાવી હતી તથા તેની પાસેથી માફીની માગ કરી હતી.
ગાંધીએ અગાઉ રાજસ્થાનમાં એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે પીએમ એટલે પનોતી મોદી. ભારત-ઑસ્ટ્રેલિયા ક્રિકેટ વર્લ્ડ કપ ફાઇનલ દરમિયાન અમદાવાદ સ્ટેડિયમમાં વડા પ્રધાનની હાજરીને કારણે આપણી ટીમ માટે ખરાબ હારી ગઇ એવો ઈશારો કર્યો હતો. ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું કે દેશના વડા પ્રધાન વિશે ગાંધીની ટિપ્પણી નિંદનીય અને શરમજનક છે.
તેણે તેના સાચા રંગો બતાવ્યા છે પરંતુ તેણે યાદ રાખવું જોઈએ કે તેની માતા સોનિયા ગાંધીએ રાજ્યના તત્કાલીન મુખ્ય પ્રધાન મોદીને, “મોતના સોદાગરકહ્યા પછી ગુજરાતમાં કૉંગ્રેસ કેવી રીતે ડૂબી ગઈ છે. વડા પ્રધાન વિશે રાહુલ ગાંધીની ટિપ્પણીની હું સખત નિંદા કરું છું.
તેમણે આક્ષેપ કર્યો હતો કે ગાંધીએ વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસની નિકટવર્તી હાર જોઈને હતાશામાં વડા પ્રધાન મોદી વિરુદ્ધ આવી ટિપ્પણી કરી છે.
રાહુલ માફી નહીં માંગે તો અમે આ મુદ્દાને ખૂબ ગંભીર બનાવીશું. આ અગાઉ પણ રાહુલ ગાંધીએ મોદી સામે આકરી ટીકા કરી હતી અને અપશબ્દનો ઉપયોગ કર્યો હતો. તેના કારણે અદાલતમાં કેસ પણ થયો હતો અને તેનું સાંસદનું પદ પણ છીનવાઈ ગયું હતું. ઉ

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત