નેશનલ

અપર્ણા યાદવે કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા સામે ચૂંટણી લડવાની કરી જાહેરાત

મુલાયમ પરિવારની વહુ અને ભારતીય જનતા પાર્ટીના નેતા અપર્ણા યાદવ (Aparna Yadav)એ જાહેરાત કરી છે કે તે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra) સામે ચૂંટણી લડવા માટે તૈયાર છે. મીડિયાને આપેલી મુલાકાતમાં અપર્ણા યાદવે કહ્યું કે તે રાયબરેલીમાં પ્રિયંકા સામે લડવા તૈયાર છે.

અપર્ણા યાદવે કહ્યું કે યાદવોને ભાજપમાં લાવવા એ મારી અંગત સિદ્ધિ છે. ભાજપમાં ઠાકુરોને પ્રતિનિધિત્વ નથી મળતું તેવી વાત કહેનારા ધૃતરાષ્ટ્ર જ છે. યુપીના સીએમ ઠાકુર ઉત્તરાખંડના છે. કેબિનેટ મંત્રી ઠાકુર… એમએલસી ઠાકુર છે. તેમણે દાવો કર્યો કે નેતાજી (મુલાયમ સિંહ યાદવે) મને કહ્યું હતું કે ભારતને મોદી (વડાપ્રધાન નરેન્દ્ર મોદી) જેવા વ્યક્તિની જરૂર છે.

આ પણ વાંચો : PM મોદી, ગૃહ પ્રધાન અમિત શાહે નવરાત્રી અને ગુડી પાડવાની આપી શુભકામના

અપર્ણાએ કહ્યું કે હું એક યાદવ છું, હું યાદવો વિશે વાત કરૂ છું ત્યારે જેને સમજાતું નથી જે માત્ર થોડાક યાદવોને જ જોવા માંગે છે. હું સતત મારા યાદવ ભાઈ-બહેનોની વચ્ચે જવું છું. મેં યાદવોના મતદાન મથકો પર જઈને વોટ માંગ્યા હતા, તે તમામ જગ્યાઓ પર અમારું પ્રદર્શન ઘણું સારું હતું. મારી અંગત સિદ્ધિ એ છે કે મેં યાદવોને ભાજપમાં લાવવાનું કામ કર્યું છે.

ભાજપના નેતા અપર્ણા યાદવે દાવો કર્યો હતો કે મુલાયમ સિંહે મને કહ્યું હતું કે ભારતને મોદી જેવા વ્યક્તિની જરૂર છે. એટલા માટે હું આવું કહીને સંસદમાં આવ્યો છું. કોંગ્રેસ અંગે અપર્ણાએ કહ્યું કે કોંગ્રેસ એક એવી પાર્ટી છે જેનું તર્પણ થઈ ચુક્યું છે.

તાજેતરમાં જ અપર્ણા યાદવે સીએમ યોગી આદિત્યનાથ અને બીજેપી નેતા સુનીલ બંસલ સાથે પણ મુલાકાત કરી હતી, આ મુલાકાતથી યુપીનું રાજકારણ ગરમાયું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો