નેશનલ

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓનો સફાયો કરવા `ઑપરેશન સર્વશક્તિ’ની જાહેરાત

સુરેશ એસ. ડુગ્ગર
જમ્મુ: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓનો સફાયો કરવા નઑપરેશન સર્વશક્તિથની જાહેરાત કરવામાં આવ્યા બાદ સુરક્ષા દળોએ એલઓસીને અડીને આવેલા વિસ્તારોમાંથી આતંકવાદીઓને શોધી કાઢવાની કાર્યવાહી આરંભી દીધી હોવા વચ્ચે અખનૂર સેક્ટરમાં પાકિસ્તાનની સેના દ્વારા તોપમારો કરવામાં આવતાં ભયનું વાતાવરણ પ્રવર્તી રહ્યું છે.
પીર પાંજાલ રેન્જના બંને કિનારા વિસ્તારમાં આતંકવાદવિરોધી કાર્યવાહી હાથ ધરવા સુરક્ષા દળો દ્વારા ઑપરેશન સર્વશક્તિ શરૂ કરવામાં આવ્યું છે. શ્રીનગરસ્થિત ચિનાર કોરની સાથે નગરોટા મુખ્યાલયની વ્હાઈટ નાઈટ કોર આ ઑપરેશન સંયુક્ત રીતે હાથ ધરશે. આ સાથે સાથે જ જમ્મુ-કાશ્મીર પોલીસ, સ્પે. ઑપરેશન ગ્રૂપ, અને ગુપ્તચર સંસ્થાઓ રાજૌરી અને પૂંચ સેક્ટરમાં આતંકવાદીઓની પ્રવૃત્તિઓને ફરી સજીવન કરવાની પાકિસ્તાનની યોજનાને નિષ્ફળ બનાવવા સાથે મળીને કામ કરશે.
અગાઉ વર્ષ 2003માં ભારતીય સેનાએ ઑપરેશન સર્વવિનાશ હાથ ધર્યું હતું. આ ઑપરેશનનો મુખ્ય આશય પીર પાંજાલ રેન્જની દક્ષિણમાં આતંકવાદીઓનો સફાયો કરવાનો
પણ હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ