નેશનલ

બિહારમાં ધમાલ: આંગણવાડીની મહિલાઓ પર લાઠીચાર્જ

પટણા: નીતીશ કુમારે મહિલાઓ અંગે આપેલા નિવેદનનો હોબાળો તો હજુ શાંત નથી થયો ત્યાંતો એક નવી ઘટના બની જેમાં પટણામાં આંગણવાડીની મહિલાઓએ સરકારી કર્મચારી જેટલો દરજ્જો આપવાની અને પગાર વધારવાની માંગણી કરી હતી અને તમામ આંગણવાડી કર્મચારીઓ એક સ્થળે ભેગા થયા હતા જ્યાં પોલીસે આંગણવાડી કાર્યકરો પર લાઠીચાર્જ કર્યો હતો. લાઠીચાર્જથી ભાગતી મહિલાઓનો પોલીસે પીછો કરી માર માર્યો હતો. એટલું જ નહીં મહિલાઓની ભીડ પર વોટર કેનનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

આંગણવાડીમાં કામ કરતી આ મહિલાઓ રાજધાનીમાં વિરોધ પ્રદર્શન કરી રહી હતી અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના કાર્યાલયની બહાર સૂત્રોચ્ચાર કરી રહી હતી.

મંગળવારે પણ રાજ્યની આંગણવાડી કાર્યકરોએ પટણામાં અનેક માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને નીતિશ કુમાર વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર કર્યા હતા. જ્યાં આંગણવાડી કાર્યકરો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આંગણવાડી કાર્યકરોની માંગ એવી છે કે તેમનો માસિક પગાર વધારીને ₹25,000 કરવામાં આવે અને આંગણવાડી સહાયકોનો પગાર વધારીને ₹18,000 કરવામાં આવે. 

બિહારના કૈમુર જિલ્લામાં આંગણવાડી કાર્યકર તરીકે કામ કરતી એક મહિલાએ જણાવ્યું હતું કે અમને બિહારની સરકાર પગારમાં ફક્ત 1450 રૂપિયા આપે છે હાલમાં અમારો પગાર 5950 રૂપિયા છે જેમાં બાકીનો પગાર કેન્દ્ર સરકાર તરફથી આવે છે તો રાજ્ય સરકારે અમારો પગાર વધારવો જોઇએ.

વિધાનસભામાં વસ્તી નિયંત્રણ પર બોલતા નીતિશ કુમારે મહિલાઓને લઈને અપમાનજનક અને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જોકે બાદમાં તેમણે પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું હતું અને માફી પણ માગી હતી, તેમ છતાં બિહારના જુદા જુદા ભાગોમાં મહિલાઓ આ ઘટનાનો વિરોધ કરી રહી છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત