નેશનલ

આણંદના ઉમરેઠમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: આણંદ જિલ્લાના ઉમરેઠમાં આવેલા સિદ્ધનાથ મહાદેવ મંદિર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસ ઘટના સ્થળે દોડી ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ઉમરેઠમાં ઓડ બજાર તળાવ પાસે આવેલા સિદ્ધનાથ મહાદેવ મંદિર પર કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ અસામાજિક તત્ત્વોએ મંદિરમાં પથ્થરો નાખ્યા હતા અને મંદિરની મૂર્તિ સહિત ધ્વજાને પણ નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મંદિરના પૂજારીએ ઉમરેઠ પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?