નેશનલ

લોકસભાની સદસ્યતા લેવા માટે પેરોલ પર બહાર આવશે અમૃતપાલ સિંહ

ચંડીગઢઃ ખડુર સાહિબ લોકસભા સીટથી અપક્ષ ઉમેદવાર તરીકે જીતેલા અમૃતપાલ સિંહને લગતા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અમૃતપાલ સિંહ 5 જુલાઈએ સાંસદ તરીકે શપથ લેવા જઈ રહ્યો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ અમૃતપાલ સિંહને પેરોલ પર બહાર લાવવામાં આવશે. આ દરમિયાન તે મંત્રી પદના શપથ લેશે.

અમૃતસર પોલીસ જેલમાં બંધ અમૃતપાલ સિંહને પાંચ જુલાઇના રોજ દિલ્હી લઇ જશે. લોકસભામાં સાંસદ તરીકે શપથ લીધા બાદ તેને જેલમાં પરત લઇ જવામાં આવશે. આ સમય દરમિયાન તે કોઇને મળી નહીં શકે.

પંજાબ સરકારે ખડૂર સાહિબથી ચૂંટાયેલા સાંસદ અમૃતપાલ સિંહને શપથ લેવડાવવા માટે લોકસભાના સ્પીકર ઓમ બિરલાને અરજી કરી હતી અને તેને પેરોલ આપવાની માગણી કરી હતી.

જો કે આ પેરોલ કેટલા દિવસ માટે રહેશે અને ક્યારે થશે તે સ્પષ્ટ નથી, પરંતુ એ સ્પષ્ટ છે કે અમૃતપાલ સિંહ એમ.પી. તરીકે શપથ લેશે અને ખડૂર સાહેબનું પ્રતિનિધિત્વ કરશે. અમૃતપાલ સિંહ હાલ આસામની દિબ્રુગઢ જેલમાં કેદ છે. અમૃતપાલ સિંહ અને તેના સહયોગીઓ વિરુદ્ધ NSA દ્વારા કેસ નોંધવામાં આવ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો