નેશનલ

વસંત પંચમી બાદ હવે અમૃત સ્નાન ક્યારે? જાણો તારીખ, મહત્વ

પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ભરાયો છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આસ્થાની ડૂબકી લગાવવા માટે ત્રિવેણી સંગમમાં પહોંચી રહ્યા છે. મહાકુંભમેળામાં લોકો દરરોજ સ્નાન કરવા આવે છે પરંતુ કેટલાક ખાસ દિવસ એવા હોય છે જ્યારે શાહી સ્નાનની પરંપરા હોય છે. આ દિવસે ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવાથી ઘણું પુણ્ય મળે છે એમ કહેવાય છે, તેથી આ દિવસે ભક્તોની ભારે ભીડ એકઠી થાય છે. કુંભના વસંત પંચમી સહિતના ત્રણ શાહી સ્નાન અત્યાર સુધીમાં થઈ ચૂક્યા છે તો હવે આપણે જાણીએ કે હજુ કેટલાક શાહી સ્નાન બાકી છે.

માઘ પૂર્ણિમા 24 ફેબ્રુઆરી 2025 ઃ-
વસંત પંચમી બાદ માઘ પૂર્ણિમા પર થશે હિંદુ ધર્મમાં પૂર્ણિમાનો ઘણું મહત્વ હોય છે કારણ કે આ દિવસે ચંદ્ર પૂર્ણ કળાએ હોય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર માઘ પૂર્ણિમાના દિવસે સંગમમાં સ્નાન કરવાથી મોક્ષ મળે છે અને બધા પાપોનો નાશ થાય છે. જો કે, તમે ભીડ થી બચવા માંગતા હો તો આ દિવસ પહેલા કે પછી પણ સ્નાન કરી શકો છો.

Also read: મહાકુંભ નાસભાગઃ સુપ્રીમ કોર્ટે પીઆઇએલ પર સુનાવણી કરવાનો કર્યો ઇનકાર

મહાશિવરાત્રી 26 ફેબ્રુઆરી 2025
મહાકુંભ 2025નું છેલ્લું શાહી સ્નાન મહાશિવરાત્રીના દિવસે થશે. આ દિવસે શિવ ભક્તો માટે ખાસ છે. આ દિવસે સંગમમાં સ્નાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને મોક્ષ મળે છે. આ જન્મના અને ગયા જન્મના પણ બધા પાપ ધોવાઈ જાય છે. કુંભમાં ભારે ભીડ રહેતી હોય છે તેથી તમે જો ભીડથી બચવા માંગતા હો તો અગાઉથી સ્નાન કરી લેવું વધુ સારું રહેશે.

અમૃત સ્નાનું મહત્વઃ-
શાસ્ત્ર અનુસાર મહાકુંભ દરમિયાન અમૃત સ્નાન કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ મળે છે અને આ સ્નાન પૂર્વજોના આત્માને પણ શાંતિ આપે છે અને પિતૃદોષને પણ દૂર કરે છે. મહાકુંભ દરમિયાન કોઈપણ દિવસે ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાથી વિશેષ ફળ મળે છે પણ અમૃત સ્નાનના દિવસે ત્રિવેણી સંગમમાં સ્નાન કરવું ઘણું જ ફળદાયી માનવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button