અમિત શાહે ખરડાના નવા મુસદ્દા રજૂ કર્યા | મુંબઈ સમાચાર
નેશનલ

અમિત શાહે ખરડાના નવા મુસદ્દા રજૂ કર્યા

નવી દિલ્હી: કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે ફોજદારી કાયદાનું સ્થાન લેવા માટે રજૂ કરેલા ત્રણ ખરડા મંગળવારે પાછા ખેંચ્યા હતા અને સંસદીય સમિતિની ભલામણનો સમાવેશ કરતા ખરડાના નવા મુસદ્દા લોકસભામાં રજૂ કર્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે ગૃહ મંત્રાલયની સંસદીય સમિતિની ભલામણનો સમાવેશ કરતા અનેક સત્તાવાર સુધારા રજૂ કરવાને બદલે સરકારે સુધારા સાથેના નવા ખરડા રજૂ કરવાનો નિર્ણય લીધો હતો.
અમિત શાહે જણાવ્યું હતું કે સુધારા ખરડા પરની ચર્ચા ગુરુવારે થશે અને મતદાન શુક્રવારે હાથ ધરાશે. ખરડાના પાંચ વિભાગમાં સુધારાવધારા કરાયા છે. આ ફેરફારમાંના મોટા ભાગના જોડણી અને ભાષાને લગતા
જ છે. વિપક્ષોએ આ ત્રણ ખરડાનો અભ્યાસ કરવા માટે પૂરતો સમય માગ્યો હતો.

નવેસરથી તૈયાર કરાયેલો ભારતીય ન્યાય સંહિતા ખરડો ૧૮૯૮ના ક્રિમિનલ પ્રૉસિજર ઍક્ટનું સ્થાન લેશે, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૧૮૬૦ની ભારતીય દંડસંહિતાનું સ્થાન લેશે, જ્યારે ભારતીય સાક્ષ્ય અધિનિયમ ખરડો ૧૮૭૨ના ઇન્ડિયન એવિડન્સ એક્ટનું સ્થાન લેશે.

અમિત શાહે ત્રણ સુધારિત ખરડાને સંયુક્ત સમિતિને અભ્યાસ મોટે મોકલવાની ભલામણ નકારી કાઢી હતી અને જણાવ્યું હતું કે સ્થાયી સમિતિએ અનેક ભલામણ કરી છે.

સ્પીકર ઓમ બિડલાએ જણાવ્યું હતું કે ત્રણ ખરડા પર ચર્ચા માટે ૧૨ કલાક ફાળવાયા છે. (એજન્સી)

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button