ટોપ ન્યૂઝનેશનલ

જુલાઈથી શરૂ થશે અમરનાથ યાત્રાઃ યાત્રાળુઓની સુરક્ષા માટે સરકારે લીધા આ પગલાં

નવી દિલ્હી/શ્રીનગરઃ 22મી એપ્રિલના પહલગામમાં આતંકવાદીઓએ 26 નિર્દોષ લોકોની હત્યા કર્યા પછી દેશની સૌથી મોટી અમરનાથ યાત્રા જુલાઈ મહિનાથી શરુ થઈ રહી છે, ત્યારે યાત્રાળુઓની સુરક્ષા મુદ્દે ક્યાંય બેદરકારી રહી જાય નહીં તેના માટે સરકાર સાવધાની રાખશે.

ગૃહ મંત્રાલયે જમ્મુ કાશ્મીર સરકારના મુખ્ય સચિવ અને ડીજીપીને પૂરી યાત્રાની પૂરી સિક્યોરિટી માટે પેરામિલિટરી ફોર્સની 581 કંપનીને તહેનાત કરવાનો આદેશ આપ્યો છે. આ યાત્રા પહલગામ હુમલા પછી શરુ થશે, તેથી શ્રદ્ધાળુઓ ડરનો માહોલ પણ રહી શકે છે.

જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ મંદિર હિંદુઓ માટે સૌથી પવિત્ર મંદિર પૈકી એક છે. નવમી ઓગસ્ટથી શરુ થનારી યાત્રાને શાંતિપૂર્ણ અને વિના કોઈ અવરોધ પૂરી કરવા માટે સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશની સુરક્ષા એજન્સીની પ્રાથમિકતા રહેશે. ગયા અઠવાડિયા દરમિયાન જમ્મુ કાશ્મીરના એલજી મનોજ સિંહાએ સુરક્ષા સમીક્ષા માટે એક મહત્ત્વની બેઠક યોજવામાં આવી હતી.

આ પણ વાંચો: પહેલગામ આતંકી હુમલા મુદ્દે કોંગ્રેસની બેઠક યોજાઈ, અમરનાથ યાત્રા બાબતે સરકારને કરી ટકોર

આ અગાઉ ગૃહ મંત્રાલયે એક પત્ર જારી કર્યો હતો, જેમાં જમ્મુ કાશ્મીર સરકારના ચીફ સેક્રેટરી, ગૃહ વિભાગના ચીફ સેક્રેટરી અને ડીજીપીએ કહ્યું હતું કે અમરનાથ યાત્રા વખતે સીએપીએફની 156 કંપનીને તહેનાત કરવામાં આવશે. એટલું જ નહીં, સીઆરપીએફની 91 કંપની, એસએસબીની 30 કંપની, સીઆઈએસએફની 15 કંપની, બીએસએફની 13 કંપની અને આઈટીબીપીની સાત કંપનીને તહેનાત રહેશે.

ગૃહ મંત્રાલયના એક મેસેજમાં જણાવ્યું છે કે અમરનાથ યાત્રા 2025 સુરક્ષા વ્યવસ્થા માટે સૌથી પહેલા જમ્મુ કાશ્મીરમાં શોર્ટ ટર્મ બેસિસ પર છે. એક સીએપીએફ કંપનીમાં લગભગ 70-80 જવાન હોય છે. આ મુદ્દે આગળ સરકારે સ્પષ્ટ કર્યું છે 425 સીએપીએફ કંપની સિક્યોરિટી માટે દસ જૂન સુધી જમ્મુ કાશ્મીર માટે હાજર થઈ જશે.

આ પણ વાંચો: અમરનાથ યાત્રા જવાનું પ્લાન કરી રહ્યા છો? જાણી લો રજિસ્ટ્રેશનની આખી પ્રક્રિયા…

ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે સીએપીએફની તમામ 581 કંપની અમરનાથ યાત્રા પૂરી થશે ત્યાં સુધી તહેનાત રહેશે, જ્યારે યાત્રા પૂરી થયા પછી સીએપીએફની 581 કંપનીને હટાવવામાં આવશે. જમ્મુ કાશ્મીરના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ કંપનીનો ઉપયોગ અમરનાથના રસ્તાથી લઈને ગુફા સ્થિત મંદિર, રસ્તાઓ, એરિયા ડોમેનિશન અને અન્ય સિક્યોરિટી માટે કરવામાં આવશે. અમરનાથ શ્રાઈન બોર્ડના જણાવ્યાનુસાર આ વર્ષે યાત્રા ત્રીજી જુલાઈથી નવમી ઓગસ્ટ સુધી ચાલુ રહેશે, જ્યારે પ્રવાસીઓ ઓનલાઈન પણ રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button