નેશનલ

અખિલેશે રેલવે અને મેટ્રો સ્ટેશનો પર દારૂ વેચવા પર ભાજપ પર નિશાન સાધ્યું….

લખનઉ: સપા પ્રમુખ અખિલેશ યાદવે યુપી સરકાર દ્વારા રાજ્યના રેલવે અને મેટ્રો સ્ટેશનો પર પ્રીમિયમ બ્રાંડનો દારૂ વેચવાની મંજૂરી આપવા અંગે ટોણો મારતા સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે રાજ્યની અર્થવ્યવસ્થાને એક ટ્રિલિયન બનાવવા માટે ભાજપ સરકાર પાસે આ એકમાત્ર રસ્તો બચ્યો છે. તો પછી એનો અર્થ એ થાય છે કે રાજ્યમાં લાખો કરોડના રોકાણના દાવા ખોટા છે. અને એટલે જ સરકાર આવી અનૈતિક પદ્ધતિઓ અપનાવી રહી છે. આજે દારૂ વેચાય છે, આવતીકાલે જાહેર સ્થળોએ અન્ય નશીલા પદાર્થો પણ વેચાશે.

અને જો ભાજપના લોકોને લાગે છે કે દારૂ એટલો જ સારો છે તો તેમની ઓફિસમાં વેચે પરંતુ જાહેર સ્થળોને અરાજકતા અને ગુનાખોરીનું કેન્દ્ર ન બનાવવું જોઈએ.

સરકારના આવા નિર્ણયો પરિવારોને બરબાદ કરે છે. દારૂના કારણે ઘરેલું હિંસાઓ અને જાહેરમાં પણ હિંસાઓ વધે છે. અને દારૂના કારણે યુવાનો પણ નાશ તરફ ધકેલાય છે અને તેમનું ભવિષ્ય પણ બગડે છે.

દારૂ અને ગુના વચ્ચે સીધો સંબંધ છે. એટલે દારૂના વેચાણના કારણે ગુનાઓનું પ્રમાણ વધશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો