અખિલેશે રેલવે અને મેટ્રો સ્ટેશનો પર દારૂ વેચવા પર ભાજપ પર નિશાન સાધ્યું….

લખનઉ: સપા પ્રમુખ અખિલેશ યાદવે યુપી સરકાર દ્વારા રાજ્યના રેલવે અને મેટ્રો સ્ટેશનો પર પ્રીમિયમ બ્રાંડનો દારૂ વેચવાની મંજૂરી આપવા અંગે ટોણો મારતા સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે રાજ્યની અર્થવ્યવસ્થાને એક ટ્રિલિયન બનાવવા માટે ભાજપ સરકાર પાસે આ એકમાત્ર રસ્તો બચ્યો છે. તો પછી એનો અર્થ એ થાય છે કે રાજ્યમાં લાખો કરોડના રોકાણના દાવા ખોટા છે. અને એટલે જ સરકાર આવી અનૈતિક પદ્ધતિઓ અપનાવી રહી છે. આજે દારૂ વેચાય છે, આવતીકાલે જાહેર સ્થળોએ અન્ય નશીલા પદાર્થો પણ વેચાશે.
અને જો ભાજપના લોકોને લાગે છે કે દારૂ એટલો જ સારો છે તો તેમની ઓફિસમાં વેચે પરંતુ જાહેર સ્થળોને અરાજકતા અને ગુનાખોરીનું કેન્દ્ર ન બનાવવું જોઈએ.
સરકારના આવા નિર્ણયો પરિવારોને બરબાદ કરે છે. દારૂના કારણે ઘરેલું હિંસાઓ અને જાહેરમાં પણ હિંસાઓ વધે છે. અને દારૂના કારણે યુવાનો પણ નાશ તરફ ધકેલાય છે અને તેમનું ભવિષ્ય પણ બગડે છે.
દારૂ અને ગુના વચ્ચે સીધો સંબંધ છે. એટલે દારૂના વેચાણના કારણે ગુનાઓનું પ્રમાણ વધશે.