અકબરે રાજકુમારી સાથે નહીં નોકરાણી સાથે લગ્ન કર્યાં હતા! રાજસ્થાનના રાજ્યપાલનો ઇતિહાસકારોને પડકાર

જયપુર, રાજસ્થાનઃ રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ બાગડે એક ચોંકાવનારી વાત કરીને નવો વિવાદ છેડ્યો છે. રાજ્યપાલ હરિભાઉ બાગડે એવો દાવો કર્યો છે કે, અકબરે રાજકુમારી સાથે નહીં પરંતુ આમેરના મહેલની એક નોકરાણી સાથે લગ્ન કર્યાં હતાં. એટલું જ નહીં પરંતુ હરિભાઉએ સદીઓ જૂની ઐતિહાસિક સર્વસંમતિને પડકાર ફેંક્યો અને બ્રિટિશ ઇતિહાસકારો પર ભારતના ભૂતકાળને વિકૃત કરવાનો આરોપ પણ લગાવ્યો છે. હવે ફરી એક નવો રાજકીય વિવાદ શરૂ થવાના એંધાર્ણ વર્તાઈ રહ્યાં છે.
અકબરે આમેરના મહેલની એક નોકરાણી સાથે લગ્ન કર્યાં હતાંઃ હરિભાઉ બાગડે
મહારાણા પ્રતાપની જન્મજયંતિની પૂર્વસંધ્યાએ રાજ્યપાલ હરિભાઉ બાગડે કહ્યું કે, એવું કહેવાય છે કે જોધા અને અકબરના લગ્ન થયા હતા. આ કહાણી પર એક ફિલ્મ પણ બનેલી છે. ઇતિહાસના પુસ્તકો પણ આવું જ કહી રહ્યાં છે. પરંતુ આ દરેક વાતો પોકળ છે. કહ્યું કે, અકબરની પત્ની કોઈ શાહીઘરથી નહીં પરંતુ એક નોકરાણીની છોકરી હતી. આ લગ્નની વ્યવસ્થા આમેરના રાજા ભારમલે કહી હતી. પરંચુ આ લગ્નમાં કોઈ રાજકુમારી સામેલ નહોતી.
અકબરનામામાં જોધાબાઈ અંગે કોઈ જ ઉલ્લેખ નથીઃ રાજ્યપાલ
રાજ્યપાલ હરિભાઉ બાગડે પોતાના વાત પર મક્કમ રહ્યાં અને કહ્યું કે, અકબરનામામાં જોધાબાઈ અંગે કોઈ જ ઉલ્લેખ કરવામાં આવેલો નથી. અકબરનામા એ અકબરના શાસનનો સત્તાવાર રેકોર્ડ છે. ઐતિહાસિક રીતે એવું માનવામાં આવે છે કે અકબરે 1569માં એક વ્યૂહાત્મક જોડાણના ભાગ રૂપે ભારમલની પુત્રી સાથે લગ્ન કર્યા હતા. ઇતિહાસકારો તેણીને હરકા બાઈ અથવા મરિયમ-ઉઝ-ઝમાની તરીકે ઓળખતા હતા. પરંતુ તે જોધાબાઈ નથી.
આપણ વાંચો: અંકિતા ભંડારી હત્યા કેસ: 3 વર્ષ બાદ આખરે ન્યાય મળ્યો, ત્રણેય આરોપીઓ દોષિત જાહેર
રાજ્યપાલ હરિભાઉ બાગડે ઇતિહાસકારોની પણ ટીકા કરી
રાજ્યપાલે મહારાણા પ્રતાપની પણ વાત કરી હતી. કહ્યું કે, આપણને અત્યારે ઇતિહાસમાં અકબર વિશે વધારે ભણાવવામાં આવે છે, પરંતુ મહારાણા પ્રતાપ વિશે ખૂબ જ ઓછું કહેવામાં આવ્યું છે. મહારાણા પ્રતાપે ક્યારે પોતાના સ્વાભિમાન માટે નમતી આપી નથી. રાજ્યપાલ બાગડેએ કહ્યું કે હવે પરિસ્થિતિ સુધરી રહી છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં, આપણી સંસ્કૃતિ અને ગૌરવશાળી ઇતિહાસને જાળવી રાખીને ભવિષ્યના પડકારો માટે નવી પેઢીને તૈયાર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજ્યપાલે છત્રપતિ શિવાજી મહારાજના પણ વખાણ કર્યાં હતાં. રાજ્યપાલ બાગડેએ એમ પણ કહ્યું કે મહારાષ્ટ્રના સંભાજીનગરમાં તેમના માનમાં મહારાણા પ્રતાપની અશ્વારોહણ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.