નેશનલ

મમતા-ભગવંત માન બાદ નીતીશકુમાર પણ નહીં જોડાય રાહુલ ગાંધીની ભારત ન્યાય યાત્રામાં

પટણા: સામાન્ય ચૂંટણી પહેલા જ વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન ઈં.ગ.ઉ.ઈં.અ બ્લોકમાં તિરાડ પડી ગઈ છે. પશ્ચિમ બંગાળમાં ટીએમસીએ ખુલ્લેઆમ ‘એકલા ચલો’ની જાહેરાત કરી છે, ત્યારે બિહારમાં ઉંઉઞના વડા નીતીશ કુમારના નિવેદનોને કારણે ગઠબંધનની રાજનીતિ પર નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. કારણકે બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર રાહુલ ગાંધીની ભારત ન્યાય યાત્રામાં ભાગ લે તેવી કોઈ શક્યતા નથી. રાહુલ ગાંધી ૨૯ જાન્યુઆરીએ બિહારના પ્રવાસે જવાના છે. ત્યારે નીતીશ કુમાર આ યાત્રામાં ભાગ ન તે તો ગઠબંધનની તિરાડ વધી શકે છે. આમ જોઈએ તો મમતા બેનરજી અને ભગવંત માન બાદ હવે નીતીશ કુમાર પણ કૉગ્રેસથી અંતર બનાવી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. મળતી માહિતી અનુસાર નીતીશ કુમાર તે દિવસે પટણામાં જ એક કાર્યક્રમમાં હાજરી આપવાના છે.

પટણામાં આયોજિત કર્પૂરી જયંતિ સમારોહને સંબોધિત કરતી વખતે નીતીશકુમારે કહ્યું હતું કે કર્પૂરી ઠાકુરજીએ ક્યારેય રાજકારણમાં તેમના પરિવારને પ્રોત્સાહન આપ્યું નથી, પરંતુ આજકાલ કેટલાક લોકો ફક્ત તેમના પરિવારને પ્રોત્સાહન આપી રહ્યા છે. નીતીશ કુમારે કોઈનું નામ તો નહોતું લીધું પરંતુ રાજકારણમાં વધી રહેલા ભાઈ-ભત્રીજાવાદ પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમ જ કર્પૂરી ઠાકુરજીને કેન્દ્ર સરકારે જે ભારત રત્ન આપ્યો તેના બે મોંઢે વખાણ પણ કર્યા હતા. અને ભારત રત્ન આપવા બદલ વડા પ્રધાન મોદીનો આભાર પણ માન્યો હતો. પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને પણ બુધવારે કહ્યું હતું કે આમ આદમી પાર્ટી આગામી લોકસભા ચૂંટણીમાં કોઈ પણ પ્રકારના ગઠબંધન વગર એકલા હાથે ૧૩ બેઠકો પર લડશે. તેને કોઈ ગઠબંધનની જરૂર નથી. આ ઉપરાંત યુપીમાં સપા પ્રમુખ અખિલેશ યાદવે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ પોતાની શરતો પર જ ગઠબંધનમાં આગળ વધશે. ઘણા રાજ્યોમાં સીટ વહેંચણીને લઈને વિવાદ ચાલી રહ્યો છે અને કૉંગ્રેસ પ્રાદેશિક પક્ષોના નિશાના પર છે. જો કે કૉંગ્રેસનું કહેવું છે કે આ મુદ્દાને વાતચીત દ્વારા ઉકેલવામાં આવશે. હાલમાં મહાગઠબંધનની ચોથી બેઠકના એક મહિના બાદ પણ ફોર્મ્યુલા પર કોઈ સમજૂતી થઈ શકી નથી.

મહાગઠબંધનમાં સામેલ પક્ષોનું કહેવું છે કે તેમને પોતપોતાના રાજ્યોમાં નિર્ણય લેવાનો અધિકાર મળવો જોઈએ. તેમ જ બેઠકોની વહેંચણી છેલ્લી ચૂંટણીના પરિણામોના આધારે થવી જોઈએ. જ્યાં જરૂર પડશે ત્યાં કોંગ્રેસને મદદ કરવામાં આવશે, પરંતુ કૉંગ્રેસ ફોર્મ્યુલાને લઈને ગંભીરતા દાખવી રહી નથી. પહેલા પાંચ રાજ્યોમાં ચૂંટણીને કારણે સીટની વહેંચણી અંગે ચર્ચા થઈ ન હતી. હાતમાં ગઠબંધનમાં સ્થિતિ એવી છે કે એક પક્ષને મનાવીએ તો બીજી પાર્ટીના નેતા નારાજ થઈ જાય છે. ઉકેલ આવવાને બદલે ગઠબંધનમાં વધારે ને વધારે પ્રશ્ર્નો ઊભા થઈ રહ્યા છે. નોંધનીય છે કે મહાગઠબંધનમાં કુલ ૨૮ પાર્ટીઓ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત