નેશનલ

`આદિત્ય’ આજે નિર્ધારિત ભ્રમણકક્ષામાં પહોંચશે

નવી દિલ્હી: સૂર્યનો અભ્યાસ કરવા મોકલવામાં આવેલા પ્રથમ અવકાશયાન આદિત્ય એલ-વનને શનિવારે નિર્ધારિત ભ્રમણકક્ષામાં મૂકવા ઈસરો સજ્જ થઈ ગયું છે.
આદિત્ય'ને પૃથ્વીથી અંદાજે 15 લાખ કિ.મી.ને અંતરે ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે. ઈસરોના અધિકારીઓના જણાવ્યા અનુસારઆદિત્ય’ને પૃથ્વીથી લગભગ 15 લાખ કિ.મી.ને અંતરે સૂર્ય-પૃથ્વીની એલ-વન ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે.
એલ-વન પૉઈન્ટ પૃથ્વી અને સૂર્ય વચ્ચેના કુલ અંતરના એક ટકા જેટલા અંતરે આવેલો છે.
`આદિત્ય’ને એલ-વન પૉઈન્ટ પર મૂકવાનો સૌથી મોટો લાભ કોઈપણ પ્રકારના અવરોધ વિના સૂર્ય પર સતત નજર રાખી શકાશે તેમ જ સૂર્યની પ્રવૃત્તિઓ અને વાસ્તવિક સમયમાં અવકાશમાં થતી તેની અસર અંગે જાણકારી મેળવી શકાશે.
શનિવારે લગભગ બપોરે ચાર વાગ્યે આદિત્ય એલ-વનને નિર્ધારિત ભ્રમણકક્ષામાં મૂકાશે.
આદિત્ય તેનો પ્રવાસ સૂર્યની દિશામાં ચાલુ રાખે એવી શકયતા હોવાનું પણ ઈસરોના અધિકારીઓએ કહ્યું હતું.
ગયા વર્ષની બે સપ્ટેમ્બરે સતીશ ધવન સ્પેસ સેન્ટર (હરિકોટા) ખાતેથી પીએસએલવીની મદદથી આદિત્ય એલ-વનને લૉન્ચ કરવામાં આવ્યો હતો.
દરમિયાન, અવકાશમાં સંશોધન અંગેની તેમની કામગીરી અને ભાવિ મિશન માટેની યંત્રણામાં સુધારા માટે ડૅટા એકઠાં કરવા ઈસરોએ શુક્રવારે 100 વૉટ શ્રેણીના પોલિમર ઈલેક્ટ્રોલ3ઈટ મેમ્બરન ફ્યુઅલ સેલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું.
ભવિષ્યમાં આ ફ્યુઅલ સેલની મદદથી અવકાશમાં વીજળીનું ઉત્પાદન કરી શકાશે. (એજન્સી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન…